ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલાના વિરોધમાં તેમના પક્ષ તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ રસ્તા પર ડેરાતંબૂ તાણી લીધા છે. મંગળવારે પીટીઆઈ સમર્થકોએ દેખાવો કરીને અનેક શહેરોમાં જામ કરી દીધો હતો. તેમણે ઈસ્લામાબાદ એરપોર્ટ તરફ જતા હાઈવે, લાહોર અને પેશાવર તરફથી રાજધાની ઈસ્લામાબાદને જોડતા રસ્તા પણ બ્લોક કરી દીધા હતા. આ કારણસર ઈસ્લામાબાદ મુખ્ય શહેરોથી કપાઈ ગયું હતું. જોકે, દેખાવકારોને ઈસ્લામાબાદમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટિયરગેસના શેલ સાથે પાણીનો મારો કરીને લોકોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલા ઈમરાન સમર્થકોએ પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં ગવર્નર નિવાસે હુમલો કર્યો એન્ટ્રી ગેટ તોડી નાખ્યો. ફૈસલાબામાં કાર્યકરોએ પાકિસ્તાનના ઈન્ટિરિયર મંત્રી રાણા સનાઉલ્લાહના ઘર પર પણ હુમલો કર્યો અને સરકાર વિરોધી નારા લગાવ્યા. દેશભરમાં થઈ રહેલા આવા દેખાવોથી સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

ઈસ્લામાબાદના બિઝનેસ મેન મોહમ્મદ અલીએ ભાસ્કરને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈસ્લામાબાદમાં જિંદગી મુશ્કેલ બની ગઈ છે. દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને આખા શહેરને ધરણાં-દેખાવોના બહાને કેદ કરી લે છે. સરકારે આવા રાજકીય દેખાવો પર રોક લગાવીને પ્રજાને રાહત આપવી જોઈએ. બીજી તરફ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાનનું રાજકીય પરિદૃશ્ય વધુ હિંસક થઈ શકે છે. ઈમરાન પર થયેલા હુમલાથી દેશમાં રાજકીય સંકટ વધશે. પાકિસ્તાન માટે આ મહિનો મહત્ત્વનો છે કારણ કે, રાજકીય સંકટ વચ્ચે દેશમાં નવા સેના પ્રમુખ પણ પસંદ થવાના છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow