શેરમાર્કેટમાં વધઘટના કારણે રોકાણકારો FD તરફ વળ્યા

શેરમાર્કેટમાં વધઘટના કારણે રોકાણકારો FD તરફ વળ્યા

ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી બે તરફી વધઘટના કારણે સામાન્ય રોકાણકારનો વિશ્વાસ ડગમગ્યો છે જેના કારણે સલામત રોકાણ તરફ ડાયવર્ટ થયા છે એટલું જ નહિં કેટલાક મહિનાઓથી વ્યાજદરમાં થઇ રહેલા સતત વધારાના કારણે સામાન્ય પરિવારના રોકાણકારો તેમની બચતને સુરક્ષિત સ્થાનમાં રોકાણ કરવા માટે ફરીથી ફિક્સ ડિપોઝીટ્સ તરફ વળ્યા છે. તાજેતરમાં લગભગ 16 લાખ રોકાણકારો વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે.

ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્લેટફોર્મ કુવેરા દ્વારા સર્વેક્ષણ કરાયેલા 44% થી વધુ લોકોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓને ત્રણ વર્ષથી ઓછા સમયમાં તેમના પૈસા પાછા આપવાની જરૂર હોય ત્યારે તેઓ તેમના નાણાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવાનું પસંદ કરે છે, કારણ કે તે અન્ય સાધનો કરતાં વધુ સુરક્ષિત છે. 23% લોકોએ જણાવ્યું હતું કે તેઓ ફુગાવા સામે લડવા માટે તેમના ઇમરજન્સી નાણાને ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવાનું પસંદ કરે છે.

સર્વેક્ષણમાં, લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ શા માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 12% લોકોએ કહ્યું કે તેઓ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે કારણ કે તેની સરળતા અને ડિપોઝિટ-ઉપાડ કરવાની સરળ પ્રક્રિયા છે. 10% લોકોએ જણાવ્યું હતું કે બજારની અસ્થિરતાને ટાળવા માટે તેમની પસંદગીનું રોકાણ માધ્યમ ફિક્સ્ડ ડિપોઝિટ છે.

2022માં FDમાંથી MFમાં ડાઇવર્ટ થયા
છેલ્લા કેટલાક સમયથી ફિક્સ ડિપોઝિટ પરના રિટર્નમાં ઘટાડો અને શેરબજારમાં વધારો થવાને કારણે સ્થાનિક રોકાણકારો એફડીને બદલે અન્ય સાધનો તરફ વળવા લાગ્યા હતા. આરબીઆઈના ડેટા અનુસાર 2022માં મ્યુચ્યુઅલ ફંડમાં પરિવારની બચતનું રોકાણ 160% એફડીની સરખામણીમાં થયું છે જે 2021 માં 21% હતું. જ્યારે 2017 સેબીના સર્વેક્ષણ મુજબ 95% પરિવારોએ તેમની બચત FDમાં અને માત્ર 10% મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કર્યું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow