ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો જૂન ક્વાર્ટરમાં રૂ.298 કરોડનું રોકાણ નોંધાયું

ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો જૂન ક્વાર્ટરમાં રૂ.298 કરોડનું રોકાણ નોંધાયું

વૈશ્વિક બજારોની સતત વધી રહેલી અનિશ્ચિતત્તા તેમજ ગોલ્ડ ઇટીએફમાં સારા રિટર્નના કારણે રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી પ્રોફિટબુક કરી રહ્યાં હતા. જોકે, સલામત રોકાણ અને આગામી સમયમાં સારા રિટર્નના આશાવાદે રોકાણકારો ફરી રોકાણ કરવા માટે પ્રેરાયા છે. જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ.298 કરોડનું રોકાણ નોંધાયું હતું. નિષ્ણાતો માને છે કે રોકાણકારો તેમની સંપત્તિનો અમુક હિસ્સો સેફ-હેવન ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.જોકે,ગતવર્ષે આ સમયગાળાની તુલનાએ રોકાણ પ્રવાહ સરેરાશ 80 ટકા ઓછો રહ્યો છે. બીજી તરફ, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાનો અહેવાલ દર્શાવે છે કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં એસેટ બેઝ અને રોકાણકારોના ખાતા ગોલ્ડ ETFના ફોલિયોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અહેવાલ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ (2023-24)ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ-લિંક્ડ ETFમાં રૂ. 298 કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં રૂ.1,243 કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.320 કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.165 કરોડના આઉટફ્લો બાદ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.અગાઉ વર્ષે ગોલ્ડ ઇટીએફમાં જૂન 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,438 કરોડનો પ્રવાહ નોંધાયો હતો.છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ETFમાં મધ્યમ પ્રવાહ લાંબા ગાળાના મૂડી લાભો દૂર કરવા અને સ્થાનિક ઇક્વિટીની તુલનામાં સોનાના સાપેક્ષ નબળા પ્રદર્શનને કારણે હોઈ શકે છે તેમ સેન્કટમ વેલ્થના ઇનવેસ્ટમેન્ટ પ્રોડક્ટ હેડ આલેખ યાદવે જણાવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow