PPF અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિેકેટ સહિત પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરો

PPF અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિેકેટ સહિત પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરો

હાલમાં જ એક્સિસ, ICICI અને કેનેરા બેંક સહિત અને બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતાં વ્યાજમાં વધારો કર્યો છે. જોકે, તે પછી પણ પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ એવી છે જેમાં તમને FD થી વધારે વ્યાજ સાથે ઇનકમ ટેક્સ છૂટનો ફાયદો પણ મળી રહ્યો છે.

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરી તમે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપર ટેક્સ બચાવી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આવી જ 5 સ્કીમ્સ અંગે જણાવી રહ્યા છીએ જેમાં તમને સારા રિટર્ન સાથે ઇનકમ ટેક્સ છૂટનો લાભ પણ મળશે.

1. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

  • યોજનમાં વાર્ષિક 8% નો વ્યાજ દર મળી રહ્યો છે
  • 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમર પછી અકાઉન્ટ ખોલી શકાય છે
  • VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી વધારે પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમરના છે તેઓ પણ આ અકાઉન્ટ ખોલી શકે છે.
  • સ્કીમ હેઠળ 5 વર્ષ માટે રૂપિયા રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી પછી આ સ્કીમને 3 વર્ષ માટે વધારી શકાય છે.
  • યોજના હેઠળ તમે મોટાભાગે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

2. સુકન્યા સમૃદ્ધિ યોજના

  • આ યોજના હેઠળ અકાઉન્ટ કોઈ બાળકીના જન્મ લીધા પછી 10 વર્ષની ઉંમર પહેલાં ખોલી શકાય છે
  • તમે માત્ર 250 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં વાર્ષિક 7.6%ના દરે વ્યાજ મળતું રહે છે જે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે.
  • ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંક શાખામાં ખોલાવી શકાય છે.

3. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

  • પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) ખાતામાં જમા થયેલી રકમ ઉપર હાલ 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • જમા ઉપર વ્યાજની ગણતરી વર્ષ આધારે કરવામાં આવે છે, એટલે કે દર વર્ષે મુખ્ય રકમમાં ઉમેરવામાં આવે છે.
  • PPF છૂટની ઈઈઈ કેટેગરી હેઠળ આવે છે. જેનો અર્થ એવો છે કે રિર્ટન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી આવક ઉપર ઇનકમ ટેક્સ છૂટ મળે છે.
  • આ અકાઉન્ટ 15 વર્ષ માટે ખોલવામાં આવી શકે છે, જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે.
  • PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ખોલી શકાય છે. જેમાં એક ફાયનાન્શિયલમાં 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
  • આ સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મોટાભાગે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow