ઈજાગ્રસ્ત સંજુ સેમસન T20 સિરીઝમાંથી બહાર!

ઈજાગ્રસ્ત સંજુ સેમસન T20 સિરીઝમાંથી બહાર!

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે. આ સાથે જ શ્રીલંકાની ટીમે મેચ જીતીને સીરીઝમાં 1-1થી બરાબરી કરવા માંગે છે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર જીતેશ શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત સંજુ સેમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં એક કરતાં વધુ મેચોની 6 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે. 4માં ભારત અને એકમાં શ્રીલંકાનો વિજય થયો હતો. એક સિરીઝ ડ્રો થઈ હતી. શ્રીલંકાની ટીમ અત્યાર સુધી ભારતને એક પણ સિરીઝમાં હરાવી શકી નથી. આવી સ્થિતિમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ બાકીની બંને મેચ જીતીને ભારતમાં પ્રથમ T20 સિરીઝ જીતીને રેકોર્ડ બનાવી શકે છે.

શ્રીલંકાએ સતત 11 T20 હારી છે
શ્રીલંકાની ટીમ ભારતમાં ભારત સામે સતત 11 ટી20 મેચ હારી છે. આમાં અનિર્ણિત મેચોનો સમાવેશ થતો નથી. ટીમની છેલ્લી ટી-20 જીત ભારત સામે 2016માં મળી હતી. શ્રીલંકા માટે સારી વાત એ છે કે જીત પુણેમાં જ મળી હતી. આ મેદાન પર બંને વચ્ચે 2 T20 મેચ રમાઈ છે. એકમાં શ્રીલંકા અને બીજી ભારતે જીતી હતી. આ મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 પણ રમી છે. જેમાં અમારો વિજય થયો હતો.

બંને દેશોની વચ્ચે એલરએલ 27 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 18માં ભારત અને 8માં શ્રીલંકાને જીત મળી છે. એક મેચ અનિર્ણિત રહી. ભારતમાં ટી-20 મેચોની વાત કરીએ તો બંને ટીમો 15 વખસ આમને-સામને થઈ. 12માં ભારત અને 2માં શ્રીલંકાને જીત મળી. એક મેચ અનિર્ણિત રહી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow