મોંઘવારી ઘટી, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

મોંઘવારી ઘટી, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

માર્ચમાં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા નોંધાયો હતો, જે 15 મહિનામાં સૌથી નીચો છે. આ સાથે જ ફુગાવાનો દર રિઝર્વ બેન્કના છ ટકાના માપદંડથી નીચો નોંધાયો છે. શાકભાજી તથા પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાના કારણે ફુગાવા દર ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 6.44 ટકા હતો, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં તે 6.95 ટકા નોંધાયો હતો.

છેલ્લે 2021ના ડિસેમ્બરમાં ફુગાવાનો દર 5.66 ટકા હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો દર 4થી 6 ટકા વચ્ચે રહેવો જોઈએ એવો નિર્દેશ આપેલો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડા અનુસાર માર્ચ મહિનામાં શાકભાજીના મોંઘવારી દરમાં 8.51 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ચરબીયુક્ત તથા તેલ આધારિત ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર 7.86 ટકા ઘટ્યો હતો.

વીજળી, ખનીજ ક્ષેત્રના કારણે ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું
માર્ચ મહિનામાં વીજળી, ઉત્પાદન તથા ખનીજ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થતાં દેશમાં કુલ ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીમાં 5.5ની તુલનામાં ફેબ્રુઆરી મહિનામાં 5.6 ટકા નોંધાયું હતું. જે નજીવો વધારો સૂચવે છે. એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 5.3 ટકાનો વધારો થયો હતો જે ગત વર્ષે આ જ ગાળામાં 0.2 ટકા હતું. જ્યારે માઇનિંગ ક્ષેત્રે 4.6 ટકા તો વીજ ક્ષેત્રે 8.2 ટકા ઉત્પાદન વધ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow