ટૂ-વ્હીલર્સ પર GST 28%થી ઘટાડીને 18 ટકા કરવાની ઇન્ડસ્ટ્રીઝની માગ

ટૂ-વ્હીલર્સ પર GST 28%થી ઘટાડીને 18 ટકા કરવાની ઇન્ડસ્ટ્રીઝની માગ

વાહન ડીલરોના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ ટૂ-વ્હીલર્સ દેશના લાખો લોકોની મુખ્ય જરૂરિયાત હોવાથી તેને લક્ઝરી પ્રોડક્ટ હેઠળ વર્ગીકૃત ન કરવી જોઇએ તેવા તર્ક સાથે ટુ-વ્હિલર્સ પરના જીએસટીને 28%થી ઘટાડીને 18% કરવાનો અનુરોધ કર્યો છે. ટૂ-વ્હીલર્સ પરના જીએસટીને ઘટાડવાના આ સમયસર અને નિર્ણાયક હસ્તક્ષેપથી સામાન્ય વર્ગ માટે ટુ-વ્હિલર્સ વધુ સસ્તા થશે જેને કારણે ફરીથી માંગમાં રિકવરી થતા ઇન્ડસ્ટ્રીમાં તેજીના પ્રાણ ફૂંકાશે જે છેલ્લા કેટલાક વર્ષથી મંદીમાંથી પસાર થઇ રહી છે તેવું ફાડાએ જણાવ્યું હતું.

ફાડાના અધ્યક્ષ મનીષ સિંઘાનીયાએ જણાવ્યું હતું કે ટુ-વ્હિલર્સ ઇન્ડસ્ટ્રી અત્યારે મંદીમાંથી પસાર થઇ રહ્યું છે અને વધતી મોંઘવારી, ઉત્સર્જનના કડક નિયમો અને કોવિડ-19 બાદની અસરો જેવા અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે. તેથી જ જીએસટી કાઉન્સિલ માટે ટુ-વ્હિલર્સ પરના જીએસટી દરો ઘટાડવા માટે આ સાનુકૂળ સમય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow