ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

થાઇલેન્ડમાં ગમગીનીનો માહોલ છે. અહીં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક ડે-કૅર સેન્ટરમાં ગત દિવસોમાં ભરબપોરે બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી. બાળકોના શોકમાં પરિવારજનો મૃતદેહ પર ચોખા, રમકડા અને ફૂલો ચઢાવી રહ્યાં છે અને સામુહિક અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

6 ઓક્ટોબરના એ દિવસે ડે કૅર સેન્ટરમાં 3 વર્ષ સુધીના 11 બાળકો વર્ગમાં ચિત્ર દોરવામાં અને લખવામાં વ્યસ્ત હતા. 10 વાગ્યે શિક્ષકોએ હસતા-રમતા બાળકોના ફોટો વાલીઓને મોકલ્યા હતા. બે કલાક પછી એક પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબે ડે કૅર સેન્ટરમાં ઘૂસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેણે કેજીના ત્રણ ક્લાસમાં જતા પહેલા 8 મહિનાની સગર્ભા શિક્ષિકા સહિત અન્ય કર્મચારીઓને ગોળી મારી હતી. તેણે સૂઈ રહેલા બાળકોની પણ હત્યા કરી.

આ દરમિયાન 3 વર્ષની એમી બચી ગઈ. જો કે તે કેવી રીતે બચી એ સ્પષ્ટ નથી. તે પોતાના મિત્રોના મૃતદેહની બાજુમાંથી મળી આવી હતી. તેને પરિવારને સોંપી દેવામાં આવી છે. આ ઘટનામાં 24 બાળકો સહિત 36ના મોત થયા છે. એમીને જોયા બાદ 59 વર્ષીય દાદા સોમસાક શ્રીથોંગે જણાવ્યું કે એમીને તેડી ત્યારે લાગ્યું કે તેના બધા જ દોસ્તો ઉંઘી રહ્યા છે. બચાવ ટુકડીએ તેને બહાર કાઢી હતી. એમીની દાદીએ તેને કહ્યું કે તેના શિક્ષકોની સાથે સ્કૂલના બધા જ દોસ્તોના મોત થયા છે. હાલ ડે કૅર સેન્ટર બંધ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow