ભારતીય ટાયર ઇન્ડસ્ટ્રી 3 વર્ષમાં 1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે

ભારતીય ટાયર ઇન્ડસ્ટ્રી 3 વર્ષમાં 1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે

દેશની ટાયર ઇન્ડસ્ટ્રી આગામી ત્રણ વર્ષમાં નવી ક્ષમતાઓના વિસ્તરણને પગલે રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે તેવો આશાવાદ ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશને વ્યક્ત કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ક્ષમતાના વિસ્તરણ માટે ઇન્ડસ્ટ્રીમાં કુલ રૂ.35,000 કરોડનું રોકાણ થયું છે. આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં વધતી માંગને પહોંચી વળવા માટે નવી ક્ષમતાને ઉમેરાશે જેને કારણે ટર્નઓવરને પણ વેગ મળશે.

દેશમાં આર્થિક ગતિવિધિઓમાં તેજી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ માટેના સરકારના પગલાંઓને કારણે આગામી સમયમાં માંગને પણ વેગ મળે તેવી શક્યતા છે. નવી ક્ષમતાઓને કારણે અત્યારના રૂ.75,000 કરોડના ટર્નઓવરથી ઇન્ડસ્ટ્રી રૂ.1 લાખ કરોડના સિમાચિહ્નને પાર થશે તેવું ATMAએ જણાવ્યું હતું. ખાસ કરીને ટ્રક અને બસ રેડિયલ્સ તેમજ પેસેન્જર કાર રેડિઅલ્સના ટાયર સેગમેન્ટને સૌથી વધુ લાભ મળશે. ખાસ કરીને પડકારજનક સમય વચ્ચે પણ રોકાણ વધારવામાં આવ્યું છે.

કેટલાક બાહ્ય પરિબળો હજુ પણ પડકારજનક હોવા છતાં પણ સ્થાનિક સ્તરે ટાયર સેક્ટરના ગ્રોથ માટે કેટલાક સકારાત્મક પરિબળો મદદરૂપ થશે. ઓટો સેક્ટરના અનેકવિધ સેક્ટર્સ હવે કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી રહ્યા છે. માંગ વધવાને કારણે તે શક્ય બન્યું છે. પેસેન્જર કાર સેગમેન્ટમાં SUVs તરફ વધતા પ્રાધાન્યને કારણે 16 ઇંચ વ્હીલ્સ અને તેની ઉપરના સાઇઝના ટાયરની માંગ અસાધારણ રીતે વધી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow