યુગાન્ડામાં પોલીસકર્મીએ ભારતીય બેંકરની હત્યા કરી

યુગાન્ડામાં પોલીસકર્મીએ ભારતીય બેંકરની હત્યા કરી

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ઑફ-ડ્યુટી પોલીસકર્મીએ 39 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના 12 મેની હોવાની જણાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે 46 હજાર રૂપિયાની લોનને લઈને વિવાદ થયો હતો.

મૃતકનું નામ ઉત્તમ ભંડારી જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોરે ચોરીની AK-47 એસોલ્ટ રાઇફલ વડે યુવકની હત્યા કરા હતી. આ સમગ્ર ઘટના રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે લેણદાર પર 13 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

12મી મેના રોજ હુમલાખોર ઈવાન વાબવાયર સાથે ભંડારી પાસેથી લોન તરીકે લીધેલી રકમ પરત કરવા બાબતે બોલાચાલી થઈ હતી. કમ્પાલા પોલીસ અધિકારી પેટ્રિક ઓન્યાન્ગોના જણાવ્યા મુજબ, વાબવાયરનો આરોપ છે કે ભંડારીએ તેને લોનની રકમ પરત કરવા કહ્યું હતું જે તેણે ગણતરી કરી હતી તેના કરતા વધુ હતી.

વીડિયોમાં બંને વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે. આ પછી વાબવાયર રાઇફલથી હવામાં ફાયરિંગ કરે છે. આ દરમિયાન રૂમમાં હાજર લોકો ચીસો પાડવા લાગ્યા અને ભાગવા લાગ્યા. વાબવાયર ભંડારી પર ગોળીઓ વરસાવે છે. તે લોકોને બહાર લઈ જાય છે અને થોડા સમય પછી પાછો ફરે છે. ભંડારીના શરીરમાં હલનચલન જોઈને તે તેના પર ફરીથી ગોળીબાર કરવા લાગે છે. આ પછી તે કેટલાક કાગળ લઈને જતો રહે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow