ભારત-UAEના ફ્રી ટ્રેડ કરારથી કાપડની નિકાસને વેગ મળશે

ભારત-UAEના ફ્રી ટ્રેડ કરારથી કાપડની નિકાસને વેગ મળશે

ભારત અને UAE વચ્ચે મુક્ત વેપાર કરારથી ગારમેન્ટ સેક્ટરને ડ્યૂટી ફ્રી એક્સેસ મળી શકશે અને તેનાથી દેશમાં સ્થાનિક નિકાસને પણ વેગ મળશે તેવો આશાવાદ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)એ વ્યક્ત કર્યો છે. 20 સ્થાનિક નિકાસકારો તેમની પ્રોડક્ટ્સને રજૂ કરવા માટે દુબઇમાં આયોજીત ઇન્ટરનેશનલ એપેરલ એન્ડ ટેક્સટાઇલ ફેર (IATF) માં ભાગ લેવા જઇ રહ્યાં છે.

AEPCના ફેર એન્ડ એક્ઝિબિશન ચેરમેન અશોક રાજાણીએ જણાવ્યું હતું કે ભારત ચીન પછી UAEને રેડીમેડ ગાર્મેન્ટની સપ્લાય કરતો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશમાંથી કાપડની નિકાસમાં UAE હંમેશા ટોચનું ભાગીદાર રહ્યું છે. UAE-ઇન્ડિયા CEPA કરાર પર હસ્તાક્ષરને કારણે ભારતના કાપડની નિકાસને ડ્યૂટી મુક્ત એક્સેસ મળશે. જેને કારણે નિકાસમાં આગામી સમયમાં હિસ્સો પણ વધશે. CEPAનો અર્થ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટરનશિપ એગ્રીમેન્ટ છે.

એક્ઝિબિશન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે નિકાસકારો અત્યારે ચાલતી ફેશન ટ્રેંડ સાથે તાલ મિલાવીને ટ્રેડિશનલ કોટન અને MMF ગારમેન્ટ સેગમેન્ટની વિસ્તૃત શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ એપેરલ ડિઝાઇનને એક્ઝિબિશન દરમિયાન પ્રદર્શિત કરશે.

કાચા માલની ઉપલબ્ધતા અને અન્ય વસ્તુઓના વૈવિધ્યની દૃષ્ટિએ ભારતીય કાપડ ઉદ્યોગોની ક્ષમતાને ધ્યાનમાં રાખતા આ એક્ઝિબિશન ખાસ કરીને UAEના ક્લોથિંગ બ્રાન્ડ્સ માટે એક વ્યાપક વ્યવસાય માટેની તકનું સર્જન કરશે.

દેશનો કાપડ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે 16 અબજ ડોલરના ટેકનિકલ ટેક્સટાઇલ સેગમેન્ટના હિસ્સા સાથે હવે MMF ગારમેન્ટ્સમાં પણ પણ પોતાની પકડ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્વ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow