શિક્ષકોને સન્માન આપવામાં ભારત વિશ્વમાં અવ્વલ, દેશમાં શિક્ષણ સુવિધાઓ પર્યાપ્ત

શિક્ષકોને સન્માન આપવામાં ભારત વિશ્વમાં અવ્વલ, દેશમાં શિક્ષણ સુવિધાઓ પર્યાપ્ત

દેશમાં શિક્ષણવ્યવસ્થા પર લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. 55% શહેરી વસ્તી એજ્યુકેશન સિસ્ટમને સારી માને છે. આશરે 50% લોકો માને છે કે શિક્ષણની ગુણવત્તા પહેલાં કરતાં વધુ સારી થઈ છે. પેરિસ સ્થિત મલ્ટિનેશનલ માર્કેટિંગ રિસર્ચ ફર્મ ઇપ્સોસના અહેવાલ મુજબ 76% શહેરી ભારતીયોનું માનવું છે કે દેશમાં શિક્ષણ માટે સંસાધનો અને સુવિધાઓ પર્યાપ્ત છે. આ સરવેમાં સિંગાપોર, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા પછી ભારત ચોથા સ્થાને રહ્યું.

હંગેરી, પેરુ અને ચિલી આ યાદીમાં સૌથી નીચલા સ્તરે છે. આ સરવેથી એક રસપ્રદ વાત જાણવા મળે છે કે દુનિયામાં શિક્ષકોને સન્માન આપવામાં ભારત અવ્વલ છે. સરવેમાં સામેલ 80% શહેરી ભારતીયો માને છે કે દેશમાં શિક્ષકોને પૂરતું સન્માન મળે છે. જ્યારે 76% માને છે કે ભારતીય શિક્ષકો મહેનતુ હોય છે.

આ પરિણામો પર ઇપ્સોસ ઈન્ડિયાના સીઈઓ અમિત અદારકર કહે છે કે ભારતમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને અભ્યાસક્રમ ધરાવતી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે, જે ઘણી સરળતાથી વિશ્વને ટક્કર આપી શકે છે. ભારતે આંગણવાડીઓ અને ગ્રામ-કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા આજે નાના શહેરો અને ગામડાંઓ સુધી શિક્ષણ પહોંચાડ્યું છે. સરવેમાં સામેલ 79% લોકો માને છે કે શિક્ષણે વિશ્વમાં સામાજિક અસમાનતા ઘટાડી છે ત્યારે 80% ભારતીયોનું માનવું છે કે જીવનમાં સફળતા મેળવવા માટે કૉલેજ અથવા યુનિવર્સિટીની ડિગ્રી જરૂરી હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow