ભારત સત્તાવાર ડેટા કરતાં ઝડપી ગતિએ વૃદ્વિ પામશે : ક્રેડિટ સુઇસ

ભારત સત્તાવાર ડેટા કરતાં ઝડપી ગતિએ વૃદ્વિ પામશે : ક્રેડિટ સુઇસ

દેશના સત્તાવાર ડેટા કરતાં ભારત ઝડપી ગતિએ આર્થિક વૃદ્વિ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને તેમાં ઇક્વિટી આઉટલૂકમાં પણ સુધારાનો અવકાશ રહેલો છે. દેશની ઇક્વિટીને ‘અંડરવેઇટ’ થી ‘બેંચમાર્ક’ તરફ અપગ્રેડ કરતાં ક્રેડિટ સુઇસે જણાવ્યું હતું કે બેન્ચ માર્ક સૂચકાંકોમાં પણ 14% સુધીની વૃદ્વિનો અવકાશ છે.

ભારત નાણાકીય વર્ષ 2024 દરમિયાન 7 ટકાના દરે વૃદ્વિ પામશે જે સર્વસંમતિના 6 ટકાથી નીચે રહેશે તેવા અંદાજથી વધુ છે. સર્વસંમતિનો અંદાજ માત્ર સત્તાવાર ડેટા પર આધારિત છે જ્યારે બ્રોકરેજ ફર્મ દ્વારા દેશના આર્થિક વૃદ્વિદરના અંદાજ માટે વ્યાપકપણે માપદંડોને આવરી લેવામાં આવ્યા છે. BSE 500 કંપનીઓના રેવેન્યૂ ગ્રોથને કારણે પણ આર્થિક વૃદ્વિદરને વેગ મળશે.

અત્યારની ફુગાવાની સ્થિતિ તેમજ આઉટલૂકને કારણે દરમાં વધારાની જરૂર નથી, પરંતુ RBI પેમેન્ટની દૃષ્ટિએ બેલેન્સ શીટમાં કોઇ નુકસાનને ટાળવા માટે દરમાં વધારો કરી શકે છે. મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તે એક માત્ર ગેરમાન્યતા છે કે ચીનની મુશ્કેલીઓને કારણે ભારતમાં પ્રવાહ વધશે અને એશિયા પેસિફિક તેમજ અન્ય ઉભરતા માર્કેટ દ્વારા પ્રાંત આધારિત ફાળવણીથી પ્રવાહ મળી રહ્યો છે.

એટલે જ, ચીનમાં લોકડાઉનને કારણે ભારતમાં પોર્ટફોલિયોમાં પણ વધારો થશે. ફાઇનાન્સિયલ સેક્ટર પર બ્રોકરેજ ઓવરવેઇટ છે અને લાગી રહ્યું છે કે ક્રેડિટમાં અત્યારના ઉચ્ચ ગ્રોથને કારણે નોન પરફોર્મિંગ એસેટ્સમાં કોઇ વધારો થશે નહીં.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow