ભારત વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બનશે: S&P

ભારત વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બનશે: S&P

ભારત જો આગામી 7 વર્ષ સુધી સતત 6.7%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવે તો ભારત અત્યારના $3.4 ટ્રિલિયનના અર્થતંત્રથી વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બની શકે છે. પરંતુ વૈશ્વિક સ્લોડાઉન તેમજ RBI દ્વારા વ્યાજદરોમાં વધારાની ધીમી અસર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથને 6 ટકા સુધી મર્યાદિત કરી શકે છે તેવું S&Pએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.

S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી પૌલ ગ્રૂનવાલ્ડ અને ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મક્રિતી જોશી અને S&Pના મુખ્ય અર્થશાસ્ત્રી રાજીવ વિશ્વાસ દ્વારા તૈયાર કરાયેલા સંયુક્ત રિપોર્ટ અનુસાર ભારત નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2031 સુધીમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. જેને કારણે ભારતની ઇકોનોમી નાણાકીય વર્ષ 2023ના $3.4 ટ્રિલિયનથી વધીને $6.7 ટ્રિલિયન પર પહોંચશે. મૂડી દીઠ જીડીપી વધીને લગભગ $4,500એ પહોંચશે.

આગામી સમયમાં ભારત માટે જે મુખ્ય પડકાર રહેશે તે અસંતુલિત ગ્રોથને ઉચ્ચ અને વધુ સ્થિર ટ્રેન્ડ તરફ લઇ જવાનો રહેશે. આગામી સમયમાં મૂડી એકત્રીકરણ પણ ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ વધુ રોકાણને કારણે પણ અર્થતંત્રને વેગ મળી શકશે. ખાસ કરીને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગ્રોથ વધુ ઝડપ પકડશે.

ભારતના ગ્રોથ માટે મેન્યુફેક્ચરિંગમાં રોકાણ જરૂરી
આગામી દાયકા અને ત્યારબાદ જે સૌથી મોટો પડકાર રહેશે તે સતત વૃદ્ધિ માટેની પરિસ્થિતિ ઉભી કરવાનો રહેશે અને તેને હાંસલ કરવા માટે સંભવત: 3 મુખ્ય ક્ષેત્રોમાં માળખાકીય સુધારાની જરૂર પડશે. તેમાં ખાસ કરીને શ્રમ સહભાગિતા વધારવી, ખાસ કરીને મહિલાઓમાં કૌશલ્યને પ્રોત્સાહન આપવું, ઉત્પાદનમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું તેમજ FDI દ્વારા બાહ્ય સ્પર્ધાત્મકતાને વેગ આપવા જેવા પરિબળો સામેલ છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow