ભારત વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બનશે: S&P

ભારત વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બનશે: S&P

ભારત જો આગામી 7 વર્ષ સુધી સતત 6.7%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવે તો ભારત અત્યારના $3.4 ટ્રિલિયનના અર્થતંત્રથી વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બની શકે છે. પરંતુ વૈશ્વિક સ્લોડાઉન તેમજ RBI દ્વારા વ્યાજદરોમાં વધારાની ધીમી અસર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથને 6 ટકા સુધી મર્યાદિત કરી શકે છે તેવું S&Pએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.

S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી પૌલ ગ્રૂનવાલ્ડ અને ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મક્રિતી જોશી અને S&Pના મુખ્ય અર્થશાસ્ત્રી રાજીવ વિશ્વાસ દ્વારા તૈયાર કરાયેલા સંયુક્ત રિપોર્ટ અનુસાર ભારત નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2031 સુધીમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. જેને કારણે ભારતની ઇકોનોમી નાણાકીય વર્ષ 2023ના $3.4 ટ્રિલિયનથી વધીને $6.7 ટ્રિલિયન પર પહોંચશે. મૂડી દીઠ જીડીપી વધીને લગભગ $4,500એ પહોંચશે.

આગામી સમયમાં ભારત માટે જે મુખ્ય પડકાર રહેશે તે અસંતુલિત ગ્રોથને ઉચ્ચ અને વધુ સ્થિર ટ્રેન્ડ તરફ લઇ જવાનો રહેશે. આગામી સમયમાં મૂડી એકત્રીકરણ પણ ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ વધુ રોકાણને કારણે પણ અર્થતંત્રને વેગ મળી શકશે. ખાસ કરીને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગ્રોથ વધુ ઝડપ પકડશે.

ભારતના ગ્રોથ માટે મેન્યુફેક્ચરિંગમાં રોકાણ જરૂરી
આગામી દાયકા અને ત્યારબાદ જે સૌથી મોટો પડકાર રહેશે તે સતત વૃદ્ધિ માટેની પરિસ્થિતિ ઉભી કરવાનો રહેશે અને તેને હાંસલ કરવા માટે સંભવત: 3 મુખ્ય ક્ષેત્રોમાં માળખાકીય સુધારાની જરૂર પડશે. તેમાં ખાસ કરીને શ્રમ સહભાગિતા વધારવી, ખાસ કરીને મહિલાઓમાં કૌશલ્યને પ્રોત્સાહન આપવું, ઉત્પાદનમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું તેમજ FDI દ્વારા બાહ્ય સ્પર્ધાત્મકતાને વેગ આપવા જેવા પરિબળો સામેલ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow