ભારત 5 મેચની બાઇલેટરલ સિરીઝમાં પહેલીવાર હાર્યું

ભારત 5 મેચની બાઇલેટરલ સિરીઝમાં પહેલીવાર હાર્યું

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે 3-2થી T20 હારી ગઈ છે. કેરેબિયનોએ છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ T20 ક્રિકેટમાં પ્રથમ વખત 5 મેચની સિરીઝ હારી છે. આટલું જ નહીં કેરેબિયન્સ સામે સતત 15 બાઇલેટરલ સિરીઝ જીત્યા બાદ ટીમે એક શ્રેણી ગુમાવી છે. ટીમ છેલ્લી શ્રેણી 2016માં હારી હતી.

ટૉસ જીતીને બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ફ્લોરિડાના લોડરહિલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન બેટર્સે 18 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ટૉસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી શુભમન ગિલ પણ 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમે 17 રનમાં ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

સતત વિકેટ ગુમાવી: ભારતીય ટીમે સતત વિકેટ ગુમાવી. પ્રથમ 2 વિકેટ માત્ર 17 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. મધ્યમ ઓવરોમાં નાની ભાગીદારી થઈ હતી, પરંતુ ભારતે અંત સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ડેથ ઓવરોમાં પણ વધુ રન બનાવી શક્યા ન હતા. ભારતની 16 ઓવરમાં 4 વિકેટ હતી જે 20 ઓવરમાં 9 થઈ ગઈ હતી.

બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા: ભારતીય બોલરો વિકેટ લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. મેચમાં અર્શદીપ સિંહે એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 12ના ટીમ સ્કોર પર કાઇલ મેયર્સને આઉટ કર્યો. આ પછી નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow