ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું

ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું

ઈન્દોરમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. કાર્તિકે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જોકે તેના સિવાય અન્ય બેટર ચાલ્યા નહોતા. અંતમાં દીપક ચહર (31) અને ઉમેશ યાદવે (20)* થોડી લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ રહ્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેઈન પાર્નેલ, લુંગી એન્ગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. કાગિસો રબાડાને 1 વિકેટ મળી હતી.

ભારત-સાઉથ આફ્રિકાની સિરિઝમાં આજે અંતિમ મેચ પૂર્ણ થયા બાદ પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે સૂર્યા કુમાર યાદવના નામની જાહેરાત થઈ હતી. સૂર્યાકુમારની તોફાની રમતના કારણે ભારત બંને સિરિઝ જીતવામાં સફળ રહ્યું હતું.

અગાઉ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના રિલી રોસોયુએ 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તો ડિકોકે 43 બોલમાં 68 રન કર્યા હતા. અંતમાં મિલરે પણ 3 છગ્ગા ફટકારીને જોરદાર ફિનિશિંગ કર્યું હતું. ભારતીય બોલરોનો કંગાળ દેખાવ રહ્યો હતો. અશ્વિન સિવાયના અન્ય બોલરો ધોવાયા હતા. દીપક ચહર અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow