ભારત-કેનેડા વચ્ચેના વિવાદથી નિકાસને અસર નહીં: EEPC

ભારત-કેનેડા વચ્ચેના વિવાદથી નિકાસને અસર નહીં: EEPC

ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડવાથી દેશની નિકાસ પર કોઇ અસર નહીં થાય તેવું એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (EEPC)એ જણાવ્યું હતું. દેશની કેનેડા ખાતેની નિકાસ વર્ષ 2022-23 દરમિયાન $4.1 અબજ નોંધાઇ હતી. નિકાસની વસ્તુઓમાં ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ અને મશિનરી સામેલ છે, જ્યારે $4.06 અબજની આયાતમાં કઠોળ, પેપર તેમજ માઇનિંગ પ્રોડક્ટ્સ સામેલ છે.

EEPCના ચેરમેન અરુણ કુમાર ગરોડિયાએ જણાવ્યું હતું કે અમે નથી માનતા કે કેનેડા સાથે વણસેલા સંબંધોથી આપણી નિકાસ અથવા વેપાર પર કોઇ અસર થશે, જેનું કારણ લાંબા સમયથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો છે. અત્યાર જોવા મળી રહેલો તણાવ માત્ર થોડાક સમય માટે જ છે અને તેનું ટૂંક સમયમાં નિરાકરણ પણ આવશે. ટૂંક સમયમાં રાજદ્વારી વિવાદ દૂર થશે અને દેશની કેનેડા ખાતેની નિકાસમાં સતત વધારો યથાવત્ રહેશે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow