ભારતમાં પણ દેવાનું સ્તર ચીન જેટલું ઊંચું, પરંતુ જોખમ આંશિક છે: IMF

ભારતમાં પણ દેવાનું સ્તર ચીન જેટલું ઊંચું, પરંતુ જોખમ આંશિક છે: IMF

ભારત પર ચીનની માફક ઊંચું દેવું છે પરંતુ તેની સાથે સંકળાયેલું જોખમ તેના ઉત્તરમાં સ્થિત પાડોશી જેટલું વધારે નથી. ભારતે મધ્યમ ગાળા દરમિયાન ખાધને ઘટાડવા માટે મહત્વાકાંક્ષી ફિસ્કલ કોન્સોલિડેશન પ્લાન પર વધુ ફોકસ કરવા માટેનું સૂચન IMFના વરિષ્ઠ અધિકારીએ કર્યું હતું.

ભારતમાં અત્યારે દેવાનું સ્તર ઊંચું છે. તે ચીનની તુલનામાં જીડીપીના 81.9% છે, જ્યારે ચીનનું દેવુ જીડીપીના 83% છે. તદુપરાંત જો આપણે ભારતના કોવિડ પૂર્વેના એટલે કે વર્ષ 2019ના દેવાની વાત કરીએ તો તે 75% છે. એટલે તે ઊંચા સ્તરે જ છે તેવું IMFના વરિષ્ઠ અધિકારી રુડ ડે મુજે જણાવ્યું હતું. વર્ષ 2023માં દેશની ખાધ 8.8% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભારતમાં વ્યાજ પર વધુ ખર્ચને કારણે તેનો હિસ્સો વધુ છે. તેઓ પોતાના દેવા પર વધુ વ્યાજની ચૂકવણી કરે છે. જીડીપના 5.4% હિસ્સાની ચૂકવણી તો વ્યાજની ચૂકવણી કરવા માટે થાય છે અને પ્રાથમિક ખાધનું સ્તર 3.4% છે. એટલે તે બંને મળીને કુલ ખાધ અંદાજે 8.8%ની આસપાસ થાય છે.

દેશનું દેવાનું સ્તર ચીનની માફક વધે તેવી શક્યતા નથી. પરંતુ વાસ્તવમાં, તે વર્ષ 2028 સુધીમાં 1.5% ઘટી 80.4% રહેવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે ભારતમાં ગ્રોથ નોંધપાત્ર છે. ભારત એવા દેશમાંથી છે જ્યાં ઊચ્ચ વૃદ્ધિદર જોવા મળે છે. ડેટ થી જીડીપીના ગુણોત્તર માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક પરિબળોને કારણે જોખમમાં ઘટાડો થયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow