ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત

ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 પુરુષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાં હતાં.

મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.

જે ઇમારતમાં આગ લાગી હતી એ ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રિકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.

આગની શરૂઆત ઇમારતની પહેલા માળથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ એના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલદી જ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયરબ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow