યુગાન્ડામાં હિપ્પો બે વર્ષના બાળકને ગળી ગયો

યુગાન્ડામાં હિપ્પો બે વર્ષના બાળકને ગળી ગયો

આફ્રિકન દેશ યુગાન્ડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હિપ્પોએ બે વર્ષના બાળકને ગળી ગયો. બાળકને તેના મોંઢામાં 5 મિનિટ સુધી રાખ્યા પછી હિપ્પોએ તેને પાછો બહાર ફેકી દીધો હતો. નવાઈની વાત એ છે કે બાળકનો જીવ બચી ગયો હતો.

આ ઘટના બની ત્યારે બાળક તળાવના કિનારે રમી રહ્યો હતો. એક અહેવાલ મુજબ બે વર્ષનો પોલ ઇગા એડવર્ડ તળાવના કિનારે રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક હિપ્પો પાણીમાંથી બહાર આવ્યો અને તેને ગળી ગયો. હિપ્પોએ બાળકને તેના મોઢામાં ખતરનાક રીતે જકડી રાખ્યો હતો, જેના કારણે બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી.

વ્યક્તિએ હિપ્પોને પથ્થર ફેંક્યા
ઘટના દરમિયાન ક્રિસપાસ બગોન્ઝા નામનો વ્યક્તિ ત્યાં હાજર હતો. તે પહેલા ગભરાઈ ગયો, પરંતુ ત્યારબાદ મદદ માટે આગળ વધ્યો. તેણે હિપ્પોને પથ્થર મારવાનો શરૂ કર્યો હતો. તેનાથી હિપ્પો હેરાન થતાં તેણે બાળકને મોંઢામાંથી બહાર ફેંકી દીધો હતો.

યુગાન્ડા પોલીસ ફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની આ પહેલી ઘટના છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. અધિકારીએ કહ્યું- આ પહેલીવાર છે કે જ્યારે કોઈ હિપ્પોએ એડવર્ડ લેકના કિનારે કોઈ બાળકને ગળ્યું હોય. ક્રિસપાસ બગોન્ઝાની બહાદુરીના કારણે જ બાળકનો જીવ બચાવી શકાયો હતો.

હિપ્પોએ એક વ્યક્તિનો ખભો ખાઈ લીધો
12 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્યાની રાજધાની નૈરોબીમાં હિપ્પોએ એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. તે વ્યક્તિનો ખભો ખાઈ લીધો હતો. 50 વર્ષીય ડેવિડ નજોરોજ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે હિપ્પોએ તેમના પર હુમલો કર્યો હતો. ડિસ્કવર વાઇલ્ડલાઇફના રિપોર્ટ અનુસાર, હિપ્પો હાથી પછી બીજા નંબરનું સૌથી કદાવર પ્રાણી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow