આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ કાયદો પ્રભાવી રીતે લાગુ થયા બાદ ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે. ઈન્ડોનેશિયાની સંસદમાં મંગળવારે આ નવા દંડ સહિતાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આ ગુનાહિત કાયદાને તોડનારા લોકો માટે એક વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ

આ નવા ગુનાહિત કાયદા હેઠળ લગ્ન પહેલા સેક્સને ગુના હેઠળ લાવવામાં આવ્યો છે. આ સાથે લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, કાયદામાં એવુ કહેવામાં આવ્યું છે કે આ મામલે કાર્યવાહી કાયદા તોડનારા લોકોના માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકોની ફરિયાદ બાદ જ થઇ શકશે.

પર્યટકો ઈન્ડોનેશિયાની આવકનુ મોટુ માધ્યમ છે

ઈન્ડોનેશિયા પોતાની બેમિસાલ સુંદરતાના કારણે સહેલાણીઓ વચ્ચે વધુ લોકપ્રિય છે. 2021માં વર્લ્ડ ઈકોનોમી ફોરમના મે 2022માં જાહેર થયેલા ડેટા મુજબ, ઈન્ડોનેશિયાએ ગ્લોબલ ટુરિજ્મ ઈન્ડેક્સમાં 32મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અહીં પર્યટન ઉદ્યોગ માત્ર દેશની આવક જ નહીં પરંતુ રોકાણ અને રોજગારનો પણ માર્ગ છે. તેથી વિશેષજ્ઞોએ આશંકા દર્શાવી કે આ કાયદાના કારણે ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે, જેનાથી દેશના પર્યટન ઉદ્યોગ પર નકારાત્મક પ્રભાવ પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow