આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ કાયદો પ્રભાવી રીતે લાગુ થયા બાદ ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે. ઈન્ડોનેશિયાની સંસદમાં મંગળવારે આ નવા દંડ સહિતાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આ ગુનાહિત કાયદાને તોડનારા લોકો માટે એક વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ

આ નવા ગુનાહિત કાયદા હેઠળ લગ્ન પહેલા સેક્સને ગુના હેઠળ લાવવામાં આવ્યો છે. આ સાથે લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, કાયદામાં એવુ કહેવામાં આવ્યું છે કે આ મામલે કાર્યવાહી કાયદા તોડનારા લોકોના માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકોની ફરિયાદ બાદ જ થઇ શકશે.

પર્યટકો ઈન્ડોનેશિયાની આવકનુ મોટુ માધ્યમ છે

ઈન્ડોનેશિયા પોતાની બેમિસાલ સુંદરતાના કારણે સહેલાણીઓ વચ્ચે વધુ લોકપ્રિય છે. 2021માં વર્લ્ડ ઈકોનોમી ફોરમના મે 2022માં જાહેર થયેલા ડેટા મુજબ, ઈન્ડોનેશિયાએ ગ્લોબલ ટુરિજ્મ ઈન્ડેક્સમાં 32મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અહીં પર્યટન ઉદ્યોગ માત્ર દેશની આવક જ નહીં પરંતુ રોકાણ અને રોજગારનો પણ માર્ગ છે. તેથી વિશેષજ્ઞોએ આશંકા દર્શાવી કે આ કાયદાના કારણે ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે, જેનાથી દેશના પર્યટન ઉદ્યોગ પર નકારાત્મક પ્રભાવ પડશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow