સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવીને મુસ્લિમોને મદદના નામે વીડિયો વાઇરલ કર્યા, 3 પકડાયા

સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવીને મુસ્લિમોને મદદના નામે વીડિયો વાઇરલ કર્યા, 3 પકડાયા

‘અપને વાલી લડકી એક હિન્દુ છોકરે કે સાથ દેખી ગઇ હૈ’ કહી આર્મી ગ્રૂપ ઓફ મહેદી ગ્રૂપમાં સંદેશો મોકલી અને મુસ્લિમ યુવતી-હિન્દુ યુવકનું નામઠામ પૂછી ઉશ્કેરીજનક વીડિયો વાઈરલ કરાયો હતો. જેમાં મુસ્લિમોને મદદના બહાને મોરલ પોલિસિંગ દ્વારા કોમી શાંતિ ભંગ કરવાના પ્રયાસના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. ઘટનામાં 3 ગ્રૂપ એડમીનની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગ્રૂપમાં 600 જેટલા સભ્યો હોવાનું મનાય છે. જે પૈકી 50ને નિવેદન આપવા બોલાવ્યા છે.

તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે ત્યારે મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકનું નામઠામ પૂછી ઉશ્કેરાટભર્યો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ પોલીસે આર્મી ગ્રૂપ ઓફ મહેદીના એડમીન મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (સુથાર ફળિયા, ફતેપુરા), બુરહાનબાબા નન્નુમિયાં સૈયદ (હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ) અને સાહિલ સહાબુદીન શેખ (પીરામીતાર મહોલ્લો, રાજમહેલ રોડ)ની ગોત્રી પોલીસે અટક કરી હતી. ત્રણેવે ગ્રૂપ ડિલીટ કરી દીધું હતું.

ડીસીપી ઝોન-2 ના. પોલીસ કમિશનર અભય સોનીએ કહ્યું કે, કેટલાક માસથી ત્રણેવે ગ્રૂપ બનાવી નેટવર્ક ઊભું કર્યું અને વીડિયો વાઇરલ કરી કોમી ભડકો કરાવવા પ્રયાસ કરતા હતા. ફોન એફએસએલને મોકલી ડિલીટ કરાયેલા વીડિયો મેળવાશે. બીજી તરફ તેમણે વાઈરલ કરેલા 5 વીડિયો પોલીસને મળ્યા છે. જ્યારે 3 પરિવારે આ અંગે પોલીસને ફરિયાદ કરી છે. ઉપરાંત દીન બચાવો, બેટી પઢાવો ગ્રૂપમાં પણ વિવાદીત સંદેશા દેખાયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow