રાજકોટમાં કારમાલિકે લોન ક્લિયર કરવા બેંકમાં 500ના દરની 26 નોટ નકલી ધાબડી

રાજકોટમાં કારમાલિકે લોન ક્લિયર કરવા બેંકમાં 500ના દરની 26 નોટ નકલી ધાબડી

એક્સિસ બેંકની કાલાવડ રોડ, કે.કે.વી.ચોક બ્રાંચમાં ઓપરેશન હેડ તરીકે નોકરી કરતા દર્શનભાઇ કિશોરભાઇ ખંભોળિયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની બેંકમાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે નોકરી કરતા અનમોલ શેખાવત બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાની પાસે આવ્યા હતા અને તેને જણાવ્યું કે, તેમની બેંક મારફતે કાર લોન લેનાર ચિરાગભાઇ ભરતભાઇ પોપટ તથા કેતનભાઇ બારોટ નામની બે વ્યક્તિ લોન ક્લિયર કરાવવા આવ્યા છે.

રૂ.14.83 લાખની કાર લોન ક્લિયર કરાવવા તેમણે રૂ.2 હજારની 1, રૂ.500ના દરની 2861, રૂ.200ના દરની 2, રૂ.100ના દરની 501 ચલણી નોટ જમા કરાવવા આપી છે. જે તમામ ચલણી નોટની ખરાઇ કરતા રૂ.500ના દરની 2861 પૈકી 26 નોટ નકલી હોવાની વાત કરી હતી. જેથી કાર લોન ક્લિયર કરવા આવેલા બંને શખ્સને રૂ.500ના દરની 26 નકલી નોટ હોવાની વાત કરી હતી. ત્યારે ખાતેદાર ચિરાગ પોપટ અને કેતન બારોટે પોતાને નકલી નોટ અંગે કોઇ જાણ નહિ હોવાની અને તેમને આંગડિયા મારફતે નાણાં મગાવ્યા હોવાની વાત કરી હતી.

કાર લોન ક્લિયર કરાવવા આવેલા બે ધારકે જમા કરાવવા આપેલા જુદા જુદા દરની ચલણી નોટ પૈકી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનું ધ્યાનમાં આવતા બ્રાંચ મેનેજર વિકાસભાઇ મામતોરા દ્વારા વધુ એક વખત ખરાઇ કરાવવા 26 ચલણી નોટ મશીનમાં ચેક કરતા તે ચલણી નોટ નકલી જ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે ફરિયાદ નોંધાવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow