રાજકોટમાં ગાય સાથે નરાધમે આચર્યું અધમ કૃત્ય

રાજકોટમાં ગાય સાથે નરાધમે આચર્યું અધમ કૃત્ય

રાજકોટમાં રવિવારે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી રહેલા શખ્સને માલધારીઓએ ઝડપી લીધો હતો. પાપનો ભાંડો ફૂટતાં એ નરાધમ દોડીને ઘરમાં પૂરાઇ ગયો હતો. જોકે માલધારીઓએ તેના ઘરને કોર્ડન કરી પોલીસને બોલાવી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે એ નરાધમની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા. એ દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા બાદ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો.

નરાધમ લાલો વાળા ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી અને અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા.

ગાય સાથે દુર્વ્યવહાર કરી રહેલા નરાધમ લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો શૂટિંગ કરી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા બાદ ટોળું લાલાને પકડવા દોડ્યું હતું. પોતાના પાપનો ભાંડો ફૂટી ગયાનો અહેસાસ થતાં નરાધમ લાલો વાળા ત્યાંથી નાસીને નજીકમાં આવેલા પોતાના ઘરમાં જઇ રૂમમાં પૂરાઇ ગયો હતો. બીજીબાજુ આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow