રાજકોટમાં રિક્ષા ચાલકે 7 વર્ષની બાળકી સાથે કર્યા શારિરીક અડપલા, માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં રિક્ષા ચાલકે 7 વર્ષની બાળકી સાથે કર્યા શારિરીક અડપલા, માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં યુવતીઓ, મહિલાઓ અને સગીરાઓ સલામત ન હોય તેમ વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાના ઘરમાં ઘુસી માર મારી લૂંટ કર્યા બાદ, યોગા ટીચરની છેડતી અને મહિલા પોલીસ પર હુમલા બાદ આજે પોપટપરાના યુસુફ નામના રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે અડપલાં કરી હવસખોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના વિરૂધ્ધ આઇપીસી કલમ-354 તથા પોક્સો એકટની કલમ-7,8 મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તપાસ તજવીજ હાથ ધરી છે.

મારી બીજા નંબરની દીકરીને સોડા લેવા મોકલી
ફરિયાદ મહિલાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ચાર દીકરી તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 11 વર્ષની છે. તેનાથી નાની દીકરી 7.5 વર્ષની છે. ત્રીજા નંબરની દીકરી 6 વર્ષની છે અને સૌથી નાની દીકરી માહી 3 વર્ષની છે. મોટી દીકરી ધોરણ 4માં અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી ધોરણ 3માં અભ્યાસ કરે છે. ગઇ કાલ તારીખ 5 ડિસેમ્બર 2022ના રોજ હું મારા ઘરે હતી. આ વખતે બપોરના મને પેટમાં દુ:ખાવો થતાં મેં મારી બીજા નંબરની દીકરીને બપોરના ચારેક વાગ્યા આસપાસ જંકશન મેઇન રોડ પર આવેલા રાજુભાઈના સતનામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાને સોડા લેવા મોકલી હતી. મારી દીકરી સોડા લેવા ગઈ હતી પરંતુ મોડું થયું હતું જેથી મેં બહાર નીકળી જોયું પરંતુ ક્યાંય દેખાઈ નહીં જેથી હું ઘરમાં મારો દીકરો રડતો હતો તેથી તેની પાસે ગઈ હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow