મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેમાં 14.19 લાખ SIP એકાઉન્ટ બંધ થયાં

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેમાં 14.19 લાખ SIP એકાઉન્ટ બંધ થયાં

દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં SIP મારફતે ફંડના મજબૂત પ્રવાહ છતાં મે મહિના દરમિયાન કુલ 14.19 લાખ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. જેની ટકાવારી 7.4 ટકા છે. આ જ સમયમાં એટલે કે મે દરમિયાન નવા એસઆઇપી એકાઉન્ટની સંખ્યા વધીને 24.7 લાખ નોંધાઇ છે. જે એપ્રિલ દરમિયાન 19.56 લાખ હતી. જે મે દરમિયાન નવા 5 લાખ એકાઉન્ટનો ઉમેરો દર્શાવે છે તેવું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)એ જણાવ્યું હતું.

મે મહિનામાં બંધ થયેલા એકાઉન્ટની સામે નવા SIP એકાઉન્ટની વધુ સંખ્યા રોકાણકારોમાં આ રૂટ પર રહેલો ભરોસો દર્શાવે છે તેવું SBI મ્યુ. ફંડના ડેપ્યુટી એમડી અને સીબીઓ ડી.પી.સિંઘે જણાવ્યું હતું. તેનું એક કારણ ઑનલાઇન માધ્યમ મારફતે સરળતાપૂર્વક એકાઉન્ટને બંધ કરવાની પ્રક્રિયા પણ હોય શકે છે. બીજી તરફ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખતા ગત મહિને SIPમાં કુલ રૂ.14,749 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું જેમાં એપ્રિલ દરમિયાન રૂ.13,728 કરોડનો ઘટાડો થયો હતો. માર્ચમાં તે રૂ.14,276 કરોડ હતુ.

આ મજબૂત રોકાણના પ્રવાહને કારણે SIPની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 5 ટકા વધીને રૂ.7.53 લાખ કરોડ નોંધાઇ હતી જે એપ્રિલ દરમિયાન રૂ.7.17 લાખ કરોડ હતી. SIPમાં વધુને વધુ રોકાણ દર્શાવે છે કે રોકાણકારોએ સરેરાશ ટિકિટ સાઇઝ કરતાં તેમાં વધુ રોકાણ કર્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow