કમળાપુરમાં એક વ્યક્તિ, બે બાઇકને ઠોકરે ચડાવી કાર દુકાનમાં ઘૂસી ગઇ

કમળાપુરમાં એક વ્યક્તિ, બે બાઇકને ઠોકરે ચડાવી કાર દુકાનમાં ઘૂસી ગઇ

જસદણ તાલુકાના કમળાપુર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી બેંક પાસે એક ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા રોડની સાઈડમાં પડેલી બે બાઈક અને એક વ્યક્તિને અડફેટે લીધા બાદ કાર એક ઉંચી દુકાનમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બન્ને બાઈકના કુરચેકુરચા બોલી ગયા હતા અને એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે કમળાપુર ગામના બસ સ્ટેન્ડ પાસે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કમળાપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થાય છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. અહીં દબાણો અને ટ્રાફિકને લીધે અનેક વખત નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા દબાણો દુર કરવાની તસ્દી પણ લેવામાં આવતી ન હોવાથી નિર્દોષ વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા છે. જેથી જે તે જવાબદાર તંત્ર દ્વારા કમળાપુર ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિકને નડતરરૂપ થતા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી ગામના જાગૃત ગ્રામજનોની માંગ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow