દેશભરમાં માત્ર બે મહિનામાં જ 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું

દેશભરમાં માત્ર બે મહિનામાં જ 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું

ઊંચા ટેક્સ અને કિંમતોમાં તીવ્ર ગતિથી વધારાનાં કારણે દેશમાં સોનાની દાણચોરીમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કસ્ટમ એન્ડ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) વર્ષ 2023નાં પ્રથમ બે માસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ કુલ 916.37 કિલો સોનાનો જથ્થો પકડી પાડ્યો છે. 2022માં સમગ્ર વર્ષે 2283.38 કિલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે ગયા વર્ષે સોનાનો જે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તે પૈકીનો 38.44 ટકા સોનાનો જથ્થો વિભાગની ટીમે માત્ર બે મહિનામાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.

વિભાગ મુજબ દાણચોરો નવી નવી રીતથી વિદેશોથી સોનું લાવુ રહ્યા છે. કાયદેસર લવાતા સોના પર ત્રણ ટકા જીએસટી લાગે છે. આનાથી બચવા માટે છેલ્લા વર્ષોમાં સોનાનાં ગેરકાયદે કારોબારમાં વધારો થયો છે. 2021માં દેશમાં કુલ 2154.58 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો હતો. 2022માં દાણચોરી 10.62 ટકા વધી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નનાં જવાબમાં નાણાં મંત્રાલય તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. કેરળમાં સૌથી વધુ દાણચોરી મારફતે સોનુ લવાય છે. 2022માં 755.80 કિલો એટલે કે કુલ દાણચોરી કરીને લવાયેલા સોનાનાં જથ્થા પૈકી 35.07 ટકા માત્ર આ રાજ્યમાં જ જપ્ત કરાયો છે. મહારાષ્ટ્ર (535.65 કિલો) બીજા, તમિળનાડુ (519 કિલો) સાથે ત્રીજા સ્થાને છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow