જેતપુરમાં પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકે મિત્રને છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી

જેતપુરમાં પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકે મિત્રને છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ક્રાઇમનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ-પાંચ હત્યાના બનાવો બનવા પામ્યા છે. નજીવી બાબતમાં હત્યા જેવો ગંભીર અપરાધ થતો હોવાનું તમામ બનાવોમાં સામે આવ્યું છે. શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં ગુરુવારે રબારીકા રોડ પર પત્ની સાથે આડાસંબંધની શંકાએ એક યુવકે તેના જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે સરાજાહેર હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામ્યો છે.

જાહેરમાં બનેલી આ ઘટનામાં લોકો મૃતકની મદદે આવે એ પહેલાં હત્યારો આડેધડ છરીના ઘા ઝીંકી ત્યાંથી બાળકોને સાથે લઇને ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ દુકાનના CCTVમાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow