ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

લગ્નમાં વરને દહેજ આપવું એ તો સામાન્ય બાબત છે પણ ચીનમાં એનાથી વિપરીત કન્યાને લગ્ન માટે દહેજ આપવું પડે છે. ચીનની સામાન્ય વાતચીતની ભાષામાં વર દ્વારા અપાતા દહેજને ‘કૈલી’ કહેવાય છે. જેની કિંમત સતત વધી રહી છે. લગ્ન માટે અમુક પ્રાંતોમાં સરેરાશ 16 લાખ 47 હજાર રૂપિયા આપવા પડે છે. આ દહેજની પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે સ્થાનિક સરકાર દાઈજિયાપુ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. અમુક શહેરોમાં અધિકારીઓએ કૈલી પર કાર્યવાહી પણ કરી છે અને અમુક વખત તો વર-કન્યાનાં પરિજનો સાથે વાત કરવાની કોશિશ પણ કરી છે.

ચીનમાં પુરુષોની અછતના કારણે આ પ્રથા છે. સરકાર આના પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. કન્યાપક્ષ જોડે શપથપત્ર પણ ભરાવી રહી છે કે તેઓ દહેજ નહીં લે. જોકે કોઈમ્બતૂર યુનિવસિર્ટીમાં એન્થ્રોપોલોજીના પ્રોફેસર ગોંસાલો સૈન્ટોસનું માનવું છે કે ચીનમાં મોટા ભાગે કાયદો મહિલાઓને કેન્દ્રમાં રાખી બનાવાય છે જે બરોબર નથી. મહિલાઓ જોડેથી સામાજિક વ્યવસ્થા અને સદભાવ બનાવી રાખવાની આશા રાખવી જ પિતૃસત્તા છે. મહિલાઓને દહેજ ન લેવાના શપથ અપાવનારી સરકાર ભૂલી જાય છે કે આ સ્થિતિ એમની જ વન ચાઈલ્ડ પોલિસીના કારણે બની છે. શોધકર્તા જણાવે છે કે વન ચાઈલ્ડ પોલિસી પછી સામાન્ય રીતે ચીનના પરિવારોમાં છોકરાઓ પર ફોકસ વધ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow