અમદાવાદમાં પતિને પત્ની સામે NIA ઓફિસર હોવાનો રોલો મારવો ભારે પડ્યો

અમદાવાદમાં પતિને પત્ની સામે NIA ઓફિસર હોવાનો રોલો મારવો ભારે પડ્યો

અમદાવાદમાં વધુ એક મહાઠગ પકડાયો છે. આ મામલે ગાંધીનગરમાં રહેતા અને મૂળ અમરેલીના યુવકની ધરપકડ કરી તેની સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવક અમદાવાદના SG હાઈ-વે ઉપર આવેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી NIAમાં પોતે ઓફિસર હોવાની પરિવારને ઓળખ આપીને પત્નીને ઓફિસમાં લઈ ગયો અને બહાર ગાડીમાં બેસાડી અંદર પ્રવેશ કરતા જ તેને પકડી પાડવામાં આવતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. યુવકની ધરપકડ કરતા તેની પાસેથી ત્રણ બોગસ આઈકાર્ડ મળી આવ્યા છે.

બોગસ આઈડીકાર્ડ મળી આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ATSની કચેરી ખાતે NIA કચેરીના અધિકારી એક વ્યક્તિને પકડીને લાવ્યા હતા. જે યુવકે પોતે NIA ઓફિસર તરીકેની ઓળખાણ આપી હતી અને અધિકારીઓને તેના ઉપર શંકા જતા તેને પકડીને ATS ખાતે લઈ આવ્યા હતા. આ યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજન અને તે મૂળ અમરેલીનો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું આઈકાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હતું અને એન.કે ત્યાગી સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ (એડમીન) NIAની સહી કરેલી હતી.

અન્ય આઈકાર્ડની તપાસ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હતું. ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હતું કે, જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની ઓળખ હતી. જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટના હોદ્દા ઉપર સહી કરેલી હોય તે પ્રકારના અલગ-અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા. આ મામલે ગુજરાત ATSની ટીમે યુવકને આઈકાર્ડ બનાવવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ કાર્ડનો ઉપયોગ તે અલગ-અલગ કચેરીઓમાં જતો ત્યારે કરતો હતો. આ સિવાય સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવા માટે કરતો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow