2022માં કંપનીઓએ IPO દ્વારા રૂપિયા 57,000 કરોડ એકત્ર કર્યા

2022માં કંપનીઓએ IPO દ્વારા રૂપિયા 57,000 કરોડ એકત્ર કર્યા

સ્ટોક એક્સચેન્જ પર આ વર્ષ દરમિયાન લિસ્ટ થયેલા શેર્સમાં સતત ઘટાડો તેમજ ભૌગોલિક રાજકીય તણાવને કારણે વોલેટિલિટીને પગલે IPOs મારફતે ફંડ એકત્રીકરણ વર્ષ 2022માં ઘટીને રૂ.57,000 કરોડ નોંધાયું છે.વર્ષ 2022 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં એકત્ર કરાયેલી કુલ રકમમાંથી માત્ર LICનો જ 35 ટકા હિસ્સો રહેલો છે. જેણે IPOs મારફતે કુલ રૂ.20,557 કરોડની રકમ એકત્ર કરી હતી. વર્ષ 2022માં મંદીના ડર અને વ્યાજદરમાં વધારાને કારણે રોકાણકારો ચિંતિત રહ્યા હતા.

વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે મંદ વૃદ્વિની અસર ભારતમાં પણ જોવા મળશે . તદુપરાંત નિરુત્સાહી ટ્રેન્ડને કારણે વર્ષ 2023માં IPO મારફતે એકત્ર કરાયેલી રકમ વર્ષ 2022ના સ્તર કરતાં પણ ઓછી રહેશે તેવું ટ્રૂ બિકન અને ઝીરોધાના સહસ્થાપક નિખિલ કામથે જણાવ્યું હતું.

ે વર્ષ 2023માં વોલેટાઇલ સ્ટોક માર્કેટને કારણે IPOsનું કુલ કદ પણ ઓછુ રહેશે. વર્ષ 2023 દરમિયાન પ્રીમિયમ વેલ્યુએશન પણ ઘટી શકે છે જેને કારણે IPOsની અસર ઘટી શકે છે. તદુપરાંત તાજેતરમાં રજૂ થયેલા IPOsના નબળા પરફોર્મન્સને કારણે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઇ છે, જેને કારણે આગામી સમયમાં ફિક્કો પ્રતિસાદ સાંપડે તેવી શક્યતા છે. વર્ષ 2023 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં નિરુત્સાહી ટ્રેન્ડ રહેશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow