નોકરી છૂટ્યા પછી ઇમિગ્રન્ટ્સ USમાં 180 દિવસ રોકાઈ શકશે

નોકરી છૂટ્યા પછી ઇમિગ્રન્ટ્સ USમાં 180 દિવસ રોકાઈ શકશે

અમેરિકામાં છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન લે-ઓફ (છટણી)ના શિકાર થયેલા આશરે 70 હજારથી વધુ એચ1બી વિઝાધારક ભારતીય લોકોને મોટી રાહત મળી છે. આવા લોકો માટે બીજી નોકરી શોધવા માટે 60 દિવસની ગ્રેસ અવધિને વધારીને હવે 180 દિવસ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇમિગ્રેશન પર વ્હાઇટ હાઉસની એડવાઇઝરી કમિટીનાં ચીફ કમિશનર સોનલ શાહ અને સબ કમિટીનાં સહઅધ્યક્ષ અજય ભૂતોરિયાની પહેલ પર આ ભલામણ કરવામાં આવી છે, જેને હવે મંજૂરી મળવાની શક્યતા છે.

કમિટીના આ બંને ભારતવંશી લોકોએ છટણીનો શિકાર થયેલા પ્રોફેશનલ્સ માટે મુસદ્દો તૈયાર કર્યો છે. સાથે સાથે કમિટીના અન્ય સભ્યોને પણ ગ્રેસ અવધિમાં વધારો કરવા માટે અપીલ કરી છે. ગ્રેસ અવધિ વધવાથી અમેરિકામાં એચ1બી પર કામ કરી રહેલા આશરે સવા ચાર લાખ લોકોને રાહત મળશે. કમિટી તરફથી કરવામાં આવેલી ભલામણ હવે પરમિટ કમિશનની પાસે જશે અને અમેરિકન રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે મંજૂરી આપશે. 2021 દરમિયાન સૌથી વધારે 74 ટકા એચ1બી વિઝા ભારતીયોને મળ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન તરફથી જારી ચાર લાખ એચ1 બી વિઝા પૈકી ત્રણ લાખ ભારતીયોને જ્યારે ચીની નાગરિકોને 50 હજાર વિઝા અપાયા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow