મોબાઇલથી બીમારીઓ વધી

મોબાઇલથી બીમારીઓ વધી

વૉશિંગ્ટન. સ્માર્ટફોન ક્યારે જરૂરિયાતમાંથી કુટેવ બની ગયો એ આપણને ખબર પણ ના પડી. આપણે જ્યાં પણ હોઇએ, એકલા કે ભીડમાં, સ્માર્ટફોનથી ઘેરાયેલા હોઇએ છીએ. તેનાથી અનેક બીમારીઓ વધી છે. માનસિક અને શારીરિક પણ. સ્માર્ટફોનના વધુ ઉપયોગથી પણ થાક લાગે છે. આત્મહત્યા અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ પણ તે જ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્માર્ટફોનથી દૂર રહેવાની સર્વિસ આપતી કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા ડિવાઇસ બની રહ્યા છે, જે આપણને સ્માર્ટફોનથી દૂર રહેવામાં મદદ કરે છે.

આવી જ એક કંપની છે, યોન્ડર. તે એવી મોબાઇલ બેગ બનાવે છે, જેમાં મોબાઇલ રાખીને ચોક્કસ સમય માટે લૉક કરી શકાય છે. કોઇ કોન્ફરન્સ કે કોન્સર્ટ, સ્કૂલ-કોલેજ, મીટિંગ કે પછી પરિવાર-મિત્રો સાથે સમય વીતાવવા તેનો ઉપયોગ કરાઇ હોય છે. ક્રિએટિવ કામ કરતા લોકો જેમ કે લેખકો, સંગીતકારો, શિક્ષકો વગેરેએ તો મોબાઇલથી દૂર રહેવું ખાસ જરૂરી છે. તેઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

અમેરિકામાં આ બેગ લોકપ્રિય છે. કંપનીના સ્થાપક ગ્રાહમ ડુગોની કહે છે કે, તેનો ઉપયોગ કરનારાને શરૂઆતમાં નેટવર્કથી દૂર રહેવામાં મુશ્કેલી થતી, પરંતુ પછી તેમને સંગીત સમારંભ, ફિલ્મો જોવામાં વધુ મજા આવવા લાગી. જ્યાં કોઇ પણ મોબાઇલનો ઉપયોગ ના કરતું હોય તેવા સ્થળ લોકોને એકબીજા સાથે જોડે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow