ઈન્ડિયન વુમન્સ ટીમે ત્રીજી વખત 5-0થી T20 સિરીઝ જીતી

ઈન્ડિયન વુમન્સ ટીમે ત્રીજી વખત 5-0થી T20 સિરીઝ જીતી

ઈન્ડિયા વુમન્સ ટીમે શ્રીલંકાને પાંચમી T20માં 15 રનથી હરાવીને સિરીઝ 5-0થી જીતી લીધી છે. ભારતીય ટીમે ત્રીજી વખત 5-0ના અંતરથી T20 સિરીઝ જીતી છે, આ પહેલા ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને પણ આ જ અંતરથી હરાવી ચુકી છે. તિરુવનંતપુરમમાં મંગળવારે શ્રીલંકાએ બોલિંગ પસંદ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. શ્રીલંકા 7 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી.

ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ભારત માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે ફિફ્ટી ફટકારી હતી. તેણે 43 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. અરુંધતી રેડ્ડીએ 27 અને અમનજોત કૌરે 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચામરી અટાપટ્ટુ, કવિષા દિલહારી અને રશ્મિકા સેવંતીએ 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ બીજી જ ઓવરમાં કેપ્ટન ચામરી અટાપટ્ટુની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હસિની પરેરા અને ઇમેશા દુલનીએ 79 રનની ભાગીદારી કરી હતી. ઇમેશા 50 રન બનાવીને આઉટ થઈ, ત્યારપછી શ્રીલંકાની ઇનિંગ્સ સંભાળી શકી નહીં અને લક્ષ્યથી દૂર રહી ગઈ. હસિની પરેરાએ 65 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રી ચરણી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી અને અમનજોત કૌરે 1-1 વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ પણ થઈ હતી

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow