માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

સ્કિન કેરમા ડુંગળીનો ઉપયોગ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઇ રહ્યો છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે સ્કિનને ફ્લેક્સિબલ અને કોમળ બનાવે છે જ્યારે સ્કિન પર તેના પ્રયોગ કરવાથી સ્કિનમાં ચમક આવે છે. તો આજે અમને જણાવીશું કે સ્કિન કેરમાં ડુંગળીના પ્રયોગ કરવાથી તમને કયા ફાયદા થાય છે.

સ્કિનમાં ચમક માટે

જો તમે ડ્રાય સ્કિનથી પરેશાન છો તો તમે ડુંગળીનું ફેસ માસ્ક બનાવીને પ્રયોગ કરી શકો છો. જે ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે અને ચહેરાની ચમક વધારે છે. જેનો પ્રયોગ કરવાથી કાળા ધબ્બા અને ખિલને દૂર કરે છે. સ્કિનમાં ચમક માટે તમારે ત્રણ ચમચી દહી અને એક નાની ડુંગળી લેવી પડશે.

ડુંગળીનું ફેસ માસ્ક બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા ડુંગળીને વાટીને તેની પેસ્ટ બનાવી નાખો. હવે ડુંગળીની પેસ્ટમાં ત્રણ ચમચી દહી ભેગુ કરો. અને તેને ચહેરા પર માસ્કની જેમ લગાવી લો. 15 મિનિટ બાદ તેને ધોઈ નાખો. આવુ તમે એક અઠવાડિયામાં એક દિવસ કરી શકો છો.

ખીલ માટે

જો તમે ખીલથી પરેશાન છો તો ખીલને દૂર કરવા માટે ડુંગળીનો પેક ચહેરા પર લગાવો. પેકને બનાવવા માટે લીંબુનો રસ 1 ચમચી, મધ 1 ચમચી અને એક ડુંગળી લો. એક ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેગુ કરો. હવે તેને તમારા ચહેરા પર જ્યાં ખિલ થયા હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હોઠોની કાળાશ દૂર કરવા માટે

ડુંગળીની મદદથી તમારા હોઠ ગુલાબી થઇ શકે છે.  આ ઉપરાંત હોઠ કોમળ અને ચમકદાર પણ બની શકે છે. જેના માટે તમારે ડુંગળીના રસમાં વિટામિન ઈ તેલ ભેગુ કરો અને રાત્રે ઉંઘતા પહેલા તેને પોતાના હોઠ પર લગાવો. આમ દરરોજ કરો. એક મહિના બાદ તમારા હોઠ રંગીન થઇ જશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow