જો તમારી પાસે પણ છે ફાટેલી નોટ તો આજે જ જાણી લો RBIની આ ગાઈડલાઈન

જો તમારી પાસે પણ છે ફાટેલી નોટ તો આજે જ જાણી લો RBIની આ ગાઈડલાઈન

જો તમારી પાસે ફાટેલી જૂની નોટ છે તો હવે તમે તેને સરળતાથી બદલાવી શકો છો. ફાટેલી નોટ બદલવા માટે તમારે કોઈ જગ્યાએ ભટકવુ પડશે નહીં. ફાટેલી જૂની નોટોને તમે પોતાની નજીકની બેંક શાખામાં જઇને બદલાવી શકો છો. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો કોઈ બેંક તમારી ફાટેલી જૂની નોટ બદલવાથી ના પાડે છે તો તે બેંકની સામે આરબીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે દંડ પણ ફટકારી શકાય છે. ફાટેલી જૂની નોટ ના બદલાવાની સ્થિતિમાં તમે બેંક સામે સત્તાવાર વેબસાઈટ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

ફાટેલી નોટ હવે બેંક બદલી આપશે

આરબીઆઈએ પોતાના નવા નિયમોમાં કહ્યું છે કે ફાટેલી નોટોને હવે બેંક દ્વારા બદલી શકાય છે અને બદલવાની કોઈ ના નહીં પાડી શકે. જો તમારી પાસે ટેપ ચોંટાડેલી છે અથવા ફાટેલી નોટ છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી તો આરબીઆઈએ તેને બદલવાના નિયમ બનાવ્યાં છે. ખરેખર, ફાટેલી નોટ કોઈ કામમાં આવતી નથી અને કોઈ તેને લેતા નથી. એવામાં લોકોએ ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

બેંક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

આરબીઆઈનુ કહેવુ છે કે આવી નોટ કોઈ પણ બેંકમાં જઇને બદલાવી શકો છો. આ સાથે આરબીઆઈએ એવુ પણ કહ્યું કે કોઈ પણ બેંક નોટ બદલવાની ના પાડતુ નથી. કેન્દ્રીય બેંકના દિશા-નિર્દેશો મુજબ જો બેંક આમ કરવાની ના પાડે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોટ બદલવા માટે શરતો

ઉલ્લેખનીય છે કે ફાટેલી નોટોને કોઈ પણ બેંકમાં જઇને બદલી શકાય છે, પરંતુ તેના માટે અમુક શરતો છે. નોટ જેટલી ખરાબ હશે તેની કિંમત એટલી જ ઓછી હશે. જો કોઈ શખ્સની પાસે 20થી વધુ ખરાબ નોટ છે અને તેની ટોટલ રકમ 5000 રૂપિયાથી વધુ છે, તો તેના માટે લેણદેણ ફી લેવામાં આવશે. આ સાથે નોટ એક્સચેન્જ કરતી સમયે તેમાં સિક્યોરિટી સિમ્બોલ આવશ્ય જોવો જોઈએ. નહીં તો તમારી નોટ નહીં બદલવામાં આવે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow