હું તને લાઇક કરું છું, કહી તરુણી સાથે અડપલાં કર્યાં

હું તને લાઇક કરું છું, કહી તરુણી સાથે અડપલાં કર્યાં

શહેરના ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે 16 વર્ષની તરુણી સાથે શારીરિક અડપલાં કરી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કોઠારિયા રોડ, ન્યૂ સાગર સોસાયટીમાં આવેલા જીનિયસ ક્લાસીસ ચલાવતા સંજય તુલસી ભંડેરી સામે કોઠારિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતા તરુણીના પિતાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 16 વર્ષીય પુત્રી ધો.10ની બોર્ડ પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થઇ હતી. પુત્રી વિશે જમાઇને વાત કરતા તેને સંકલ્પ સ્કૂલની સાથે ક્લાસીસ ચલાવતા સંજય ભંડેરીનો સંપર્ક કરાવ્યો હતો. તે સમયે શિક્ષક એવા સંજય ભંડેરીએ પુત્રી પાસ થઇ જશે તેવી ખાતરી આપી હતી અને તેને ધો.11 સાયન્સનો અભ્યાસ પણ સાથે સાથે કરાવીશ જેથી તેને રિવિઝન થઇ જાય તેવી વાત કરી હતી.

શિક્ષક સંજય ભંડેરીની વાતથી પોતે સહમત થઇ જતા પુત્રી છેલ્લા દસેક દિવસથી બપોરે સંકલ્પ સ્કૂલમાં ધો.11નો અભ્યાસ કરવા જતી હતી અને સાંજે સ્કૂલેથી છૂટ્યા બાદ સંજય ભંડેરીના જીનિયસ ક્લાસીસમાં જતી હતી.

ત્યારે સ્કૂલે અને ક્લાસમાં જતી પુત્રીએ સોમવારે વાત કરી કે શિક્ષક સંજય ભંડેરીએ ગત શનિવારે પોતે સાંજે ક્લાસમાં ગઇ ત્યારે તેને હું તને લાઇક કરું છું, તેમ કહી પોતાનો હાથ પકડી શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદ પોતાને તેમજ જમાઇને કરી હતી.

આ વાતથી રોષે ભરાયેલા જમાઇ તુરંત સંજય ભંડેરી પાસે દોડી ગયા હતા અને મેથીપાક ચખાડ્યો હતો. પોતે ક્લાસીસ દોડી ગયા બાદ બનાવની પોલીસમાં જાણ કરી હતી. ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાએ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કોઠારિયા ગામના જાનકી પાર્કમાં રહેતા સ્કૂલ અને ક્લાસીસ સંચાલક એવા લંપટ ગુરુ સંજય ભંડેરીની ધરપકડ કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow