હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટમાં નામદાર એડિશનલ જજ ડી.વી. શાહ દ્વારા લૂંટ અને હુમલાના કેસમાં સેક્સ મેનિયાક વિજય ઠાકોરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે . ઉલ્લેખનીય છેકે આ રીઢો આરોપીને ભૂતકાળમાં પોક્સોના ત્રણ ગુનામાં કોર્ટે ફટકારેલી ફાંસી અને આજીવન કેદની સજા જેલમાં ભોગવી રહ્યો છે.

સાયકો આરોપીએ ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મા કેસની હકીકત મુજબ, કલોલના વાંસજડા ગામના સેક્સ મેનિયાક વિજયજી પોપટજી ઠાકોરે ગત તા. 5 જૂન 2021ના રોજ બોરીસણાથી રામનગરના રોડ પર સાયોના ફેક્ટરી નજીક નાળિયામાં ભીખીબેન ઠાકોરને શિકાર બનાવ્યા હતાં. આરોપીએ ભારો ચઢાવવાના બહાને ભીખીબેનને નાળિયામાં લઈ જઈ એકલતાનો લાભ લઈને ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી.

આરોપીએ લૂંટ કરી હતી બાદમાં ભીખીબેનના પગમાં પહેરેલા આશરે 500 ગ્રામ વજનના કડલા કિંમત રૂ. 35 હજારની લૂંટ કરી હતી અને પોતાનું નંબર વગરનું બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આરોપી પર 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા જે કેસ કલોલ એડિશનલ સેશન્સ જજ ડી.વી. શાહની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે સરકાર પક્ષે એપીપી જીગ્નેશ જોષી દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ થયેલા જુદા જુદા ગુનાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, હાલના આરોપી વિજયજી ઠાકોર સામે ઉક્ત ગુના સિવાય સાંતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ, કડી પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં મોટાભાગના ગુનાઓ આ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ગંભીર પ્રકારના છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow