હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટમાં નામદાર એડિશનલ જજ ડી.વી. શાહ દ્વારા લૂંટ અને હુમલાના કેસમાં સેક્સ મેનિયાક વિજય ઠાકોરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે . ઉલ્લેખનીય છેકે આ રીઢો આરોપીને ભૂતકાળમાં પોક્સોના ત્રણ ગુનામાં કોર્ટે ફટકારેલી ફાંસી અને આજીવન કેદની સજા જેલમાં ભોગવી રહ્યો છે.

સાયકો આરોપીએ ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મા કેસની હકીકત મુજબ, કલોલના વાંસજડા ગામના સેક્સ મેનિયાક વિજયજી પોપટજી ઠાકોરે ગત તા. 5 જૂન 2021ના રોજ બોરીસણાથી રામનગરના રોડ પર સાયોના ફેક્ટરી નજીક નાળિયામાં ભીખીબેન ઠાકોરને શિકાર બનાવ્યા હતાં. આરોપીએ ભારો ચઢાવવાના બહાને ભીખીબેનને નાળિયામાં લઈ જઈ એકલતાનો લાભ લઈને ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી.

આરોપીએ લૂંટ કરી હતી બાદમાં ભીખીબેનના પગમાં પહેરેલા આશરે 500 ગ્રામ વજનના કડલા કિંમત રૂ. 35 હજારની લૂંટ કરી હતી અને પોતાનું નંબર વગરનું બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આરોપી પર 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા જે કેસ કલોલ એડિશનલ સેશન્સ જજ ડી.વી. શાહની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે સરકાર પક્ષે એપીપી જીગ્નેશ જોષી દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ થયેલા જુદા જુદા ગુનાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, હાલના આરોપી વિજયજી ઠાકોર સામે ઉક્ત ગુના સિવાય સાંતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ, કડી પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં મોટાભાગના ગુનાઓ આ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ગંભીર પ્રકારના છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow