કિર્તીમંદિરે માનવી, તળાવે વિદેશી પક્ષીનો શંભુમેળો

કિર્તીમંદિરે માનવી, તળાવે વિદેશી પક્ષીનો શંભુમેળો

પોરબંદર જિલ્લામાં હજજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. 21 જેટલા જળ પ્લાવિત વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે છે. પક્ષીઓને નિહાળી પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઈ રહ્યા છે. પોરબંદર અને આસપાસના 21 જેટલા જળ પ્લાવીત વિસ્તારો આવેલ છે. અને વિદેશી પક્ષીઓ શિયાળા દરમ્યાન પોરબંદરના મહેમાન બને છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જ્યા હજજારોની સંખ્યામાં પક્ષીઓ એક જ શહેરમાં જોવા મળતા હોય છે અને આ શહેર પોરબંદર છે. પોરબંદર જિલ્લામાં 204 જેટલા અલગ અલગ દેશી વિદેશી પક્ષીઓની પ્રજાતિ નોંધાઇ છે.

2009માં પોરબંદરને પક્ષીનગર તરીકે જાહેર કરવામાં આવેલ છે. પોરબંદરના વિવિધ જળ પ્લાવીત વિસ્તારો કે જ્યાં વિદેશી પક્ષીઓને જરૂરી એવું વાતાવરણ મળી રહે છે કારણે કે, પોરબંદરના વાતાવરણમાં મોટો ફેરફાર થતો નથી એટલેકે ઠંડી ગરમીનો મોટો ફેરફાર થતો નથી. અહી પક્ષીઓને ખોરાક માટે મીઠા અને ખારા પાણીની માછલી, નાના જીવડા, છાજછાલ જેવી વનસ્પતિ મળી રહે છે. ત્યારે ઠંડા પ્રદેશ જેવાકે સાઇબેરીયા, મંગોલીયા, ઓસ્ટ્રેલિયા જેવા જુદાજુદા દેશો માંથી દર વર્ષે ખાસ પ્રકારના માઇગ્રેટરી રૂટમાં પ્રવાસ કરી અને ઠંડા પ્રદેશો માંથી ખોરાકની શોધમાં અને અનુકૂલન રહેઠાણ માટે બીજા દેશો તરફ પ્રયાણ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow