ઓલમ્પસ હોસ્પિટલની બેદરકારીથી વિદ્યાનગર રોડ પર વહ્યું માનવ રક્ત!

ઓલમ્પસ હોસ્પિટલની બેદરકારીથી વિદ્યાનગર રોડ પર વહ્યું માનવ રક્ત!

વિદ્યાનગર મેઈન રોડ પર અચાનક માનવ રક્ત વહેવા લાગતા રાહદારીઓ અને આસપાસના લોકોમાં હડકંપ ફેલાયો હતો ઘણા લોકોને ઊબકા આવવા લાગ્યા હતા. આ રક્ત ઓલમ્પસ હોસ્પિટલની બહારથી જ નીકળ્યું હતું અને તેની બાજુમાં જ ખાણીપીણીની દુકાનો હોવાથી તુરંત જ હોસ્પિટલને જાણ કરાતા હાઉસકીપિંગ સ્ટાફ તુરંત જ દોડી આવ્યો હતો અને સાફસફાઈ શરૂ કરી હતી.

ઓલમ્પસ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન જે માનવ રક્ત નીકળ્યું તે સીધું જ ડ્રેનેજમાં છોડી દેવાયું હતું આ દરમિયાન એકસાથે આવેલા થિજાયેલા રક્તના પ્રવાહને કારણે ઓલમ્પસ હોસ્પિટલની સેપ્ટિક ટેંકની પાસે આવેલી ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ ગઈ હતી તેથી તમામ રક્ત રોડ પર વહેવા લાગ્યું હતું.

આ મામલે હોસ્પિટલને જાણ કરાતા સાફસફાઈ હાથ ધરાઈ હતી પણ ત્યાં સુધીમાં આસપાસની ખાણીપીણીની દુકાનો સહિતના સ્થળોએથી લોકો રવાના થઈ ગયા હતા અને મહાનગરપાલિકાને ફરિયાદોનો ધોધ વહ્યો હતો. જોકે મહાનગરપાલિકા પહોંચે તે પહેલા જ હોસ્પિટલે રોડ પરથી રક્તની સાફસફાઈ ચાલુ કરી દીધી હતી. બીજી તરફ બાયો મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નિકાલ કરવાની પોલિસી બની છે તેમાં જે તંત્રને જવાબદારી સોંપાઈ છે તે જીપીસીબી હજુ આ મામલે આગળ આવ્યું નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow