સ્ટર્લિંગ, સ્ટાર સીનર્જી, ગોકુલ સહિતની હોસ્પિટલમાં મચ્છરોના લારવા મળ્યા

સ્ટર્લિંગ, સ્ટાર સીનર્જી, ગોકુલ સહિતની હોસ્પિટલમાં મચ્છરોના લારવા મળ્યા

જૂન માસને મલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોવાથી મચ્છર ઉત્પત્તિ રોકથામ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત તપાસનો આરંભ કરાયો છે. જેને લઈને જ્યાં જ્યાં મચ્છર ઉત્પત્તિ હોય ત્યાં નોટિસ અને દંડ ફટકારવાની કામગીરીમાં સૌથી પહેલા ખાનગી હોસ્પિટલનો જ વારો લેવાયો છે અને 16ને નોટિસ ફટકારાઈ છે.

મનપાની મલેરિયા શાખાએ શહેરની 142 હોસ્પિટલમાં તપાસ કરી હતી આ પૈકી 16 હોસ્પિટલમાં મચ્છરના લારવા મળતા તમામને નોટિસ ફટકારાઈ છે. જેમાં સ્ટર્લિંગ, સ્ટાર સીનર્જી, ગોકુલ સહિતની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. મનપા દર વર્ષે હોસ્પિટલમાં ચેકિંગ કરે છે અને ત્યાંથી મચ્છરના લારવા મળે છે.

આ એ જ હોસ્પિટલ છે જ્યાં ડેન્ગ્યુના ગંભીર દર્દીઓની સારવાર થતી હોય છે તેમજ તેના સંચાલકો મચ્છર ઉત્પત્તિ મામલે દર્દીઓ અને તેમના પરિવારજનોને જ્ઞાન પીરસતા હોય છે પણ પોતાની હોસ્પિટલ જ ચોખ્ખી રાખી શકતા નથી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મલેરિયા શાખાએ અનેક વખત હોસ્પિટલના સ્ટાફને પોરાનાશક કામગીરી માટે તાલીમ આપી છે આમ છતાં પોરા નીકળે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow