હોંગકોંગ એરપોર્ટ પર દુર્ઘટના

હોંગકોંગ એરપોર્ટ પર દુર્ઘટના

હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો વિમાન રનવે પરથી લપસી જઈને દરિયામાં ખાબક્યું હતું.

હોંગકોંગ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, દુબઈથી આવતી આ ફ્લાઇટ સવારે લગભગ 3.50 વાગ્યે (સ્થાનિક સમય) લેન્ડ થઈ રહી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેઓ એરપોર્ટના ગ્રાઉન્ડ વ્હીકલ પર હતા. જ્યારે વિમાનમાં સવાર ચાર લોકોને બચાવી લેવાયા છે.

બોઇંગ 747-481 તુર્કી કેરિયર એર ACT દ્વારા સંચાલિત હતું અને તે દુબઈના અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આવી રહ્યું હતું.

આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક અહેવાલો મુજબ, એરપોર્ટના ગ્રાઉન્ડ વ્હીકલ પર હાજર બે વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્લેન ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 મુજબ, જ્યારે વિમાનો પાણી સાથે સ્પર્શ થયો ત્યારે તેની ગ્રાઉન્ડ સ્પીડ લગભગ 49 નોટ્સ હતી. આ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow