ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

દુનિયાભરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ દેશમાં ભરતીની સિઝન છે. સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસીએ સપ્ટેમ્બરથી િડસેમ્બર 2022 વચ્ચે 5,863 અને બંધન બેન્કે 2,036 ભરતી કરી છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે માર્ચથી ડિસેમ્બર 22 વચ્ચે 11,200 લોકોને નોકરી આપી છે. જોકે, અમેરિકામાં મોર્ગન સ્ટેન્લી બેન્કે ડિસેમ્બર 22માં 1,600 લોકોની છટણી કરી છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દિગ્ગજ કંપની ગોલ્ડમેન સાશે જાન્યુઆરી 23માં 3,200 કર્મચારીની હકાલપટ્ટી કરી છે, જે 2008ની મંદી પછી સૌથી મોટો આંકડો છે. આરબીઆઇના તાજા અહેવાલ અને એસબીઆઇ સાથે સંકળાયેલા બેન્કિંગ એક્સપર્ટ નરેશ મલહોત્રાના મતે, છેલ્લા બે વર્ષ ભારતીય બેન્કો માટે ભલે મુશ્કેલ રહ્યા, પરંતુ હવે રેકોર્ડ ગ્રોથ દેખાશે.

બીજી તરફ, અમેરિકામાં નવેમ્બર 2022થી અત્યાર સુધી આશરે બે લાખ આઇટી કર્મી નોકરી ગુમાવી ચૂક્યા છે. તેમાં 30-40% સુધી ભારતીય છે. તેમાં પણ મોટા ભાગના લોકો એચ-1બી અને એલ-1 વિઝા ધરાવનારા છે. હકીકતમાં એચ-1બી વિઝા ધરાવતા લોકો માટે સ્થિતિ મુશ્કેલ હોવાનું કારણ એ પણ છે કે, જો તેમને 60 દિવસમાં બીજી નોકરી ના મળે, તો ભારત પાછા આવવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચતો.

શુભ સંકેત, આ વર્ષે 21 દિવસમાં જ 1.16% સુધી ઘટી ચૂક્યો છે દેશમાં બેરોજગારી દર
બેરોજગારો માટે નવું વર્ષ મોટી રાહત લઇને આવ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મતે, પહેલી જાન્યુઆરીએ દેશમાં બેરોજગારી દર 8.30%હતો, જે 22 જાન્યુઆરીએ 7.14% સુધી આવ્યો. શહેરોમાં આ દર 8.8% છે, જ્યારે ગામડાંમાં 6.4% પર આવી ગયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow