ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

દુનિયાભરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ દેશમાં ભરતીની સિઝન છે. સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસીએ સપ્ટેમ્બરથી િડસેમ્બર 2022 વચ્ચે 5,863 અને બંધન બેન્કે 2,036 ભરતી કરી છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે માર્ચથી ડિસેમ્બર 22 વચ્ચે 11,200 લોકોને નોકરી આપી છે. જોકે, અમેરિકામાં મોર્ગન સ્ટેન્લી બેન્કે ડિસેમ્બર 22માં 1,600 લોકોની છટણી કરી છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દિગ્ગજ કંપની ગોલ્ડમેન સાશે જાન્યુઆરી 23માં 3,200 કર્મચારીની હકાલપટ્ટી કરી છે, જે 2008ની મંદી પછી સૌથી મોટો આંકડો છે. આરબીઆઇના તાજા અહેવાલ અને એસબીઆઇ સાથે સંકળાયેલા બેન્કિંગ એક્સપર્ટ નરેશ મલહોત્રાના મતે, છેલ્લા બે વર્ષ ભારતીય બેન્કો માટે ભલે મુશ્કેલ રહ્યા, પરંતુ હવે રેકોર્ડ ગ્રોથ દેખાશે.

બીજી તરફ, અમેરિકામાં નવેમ્બર 2022થી અત્યાર સુધી આશરે બે લાખ આઇટી કર્મી નોકરી ગુમાવી ચૂક્યા છે. તેમાં 30-40% સુધી ભારતીય છે. તેમાં પણ મોટા ભાગના લોકો એચ-1બી અને એલ-1 વિઝા ધરાવનારા છે. હકીકતમાં એચ-1બી વિઝા ધરાવતા લોકો માટે સ્થિતિ મુશ્કેલ હોવાનું કારણ એ પણ છે કે, જો તેમને 60 દિવસમાં બીજી નોકરી ના મળે, તો ભારત પાછા આવવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચતો.

શુભ સંકેત, આ વર્ષે 21 દિવસમાં જ 1.16% સુધી ઘટી ચૂક્યો છે દેશમાં બેરોજગારી દર
બેરોજગારો માટે નવું વર્ષ મોટી રાહત લઇને આવ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મતે, પહેલી જાન્યુઆરીએ દેશમાં બેરોજગારી દર 8.30%હતો, જે 22 જાન્યુઆરીએ 7.14% સુધી આવ્યો. શહેરોમાં આ દર 8.8% છે, જ્યારે ગામડાંમાં 6.4% પર આવી ગયો છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow