ઉચ્ચ વ્યાજદરોથી SME લોનધારકો માટે રિફાઇનાન્સનો વિકલ્પ મર્યાદિત

ઉચ્ચ વ્યાજદરોથી SME લોનધારકો માટે રિફાઇનાન્સનો વિકલ્પ મર્યાદિત

RBI દ્વારા રેપોરેટમાં ગત મે મહિનાથી 250 બેસિસ પોઇન્ટના વધારાને કારણે જોવા મળી રહેલા ઉચ્ચ વ્યાજદરોને કારણે લોનની પુન:ચૂકવણીની રકમમાં વધારો થયો છે અને પ્રોપર્ટી સામે લોન લેનારા SME લોનધારકો માટે રિફાઇનાન્સિંગનો વિકલ્પ પણ મર્યાદિત બનતા આ પ્રકારની લોન ડિફોલ્ટ થવાની આશંકા વધી છે તેવું મૂડીઝે જણાવ્યું હતું. જો RBI દરોને યથાવત્ રાખે તો પણ SME લોનધારકો પર દેવાની પુન:ચૂકવણી કરવાનું ભારણ વધશે.

તદુપરાંત, ગત વર્ષથી દરોમાં વધારાને કારણે પ્રોપર્ટી સામે લોન લેનારા લોનધારકો રકમની પૂન:ચૂકવણી કરી શકે તેવી શક્યતા ઓછી છે. LAP એટલે લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી.ગત વર્ષથી વ્યાજદરોમાં વધારાની અસર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પર પડતા તેઓ માટે ફંડિગ ખર્ચ પણ વધ્યો છે. આ સાથે NBFCsએ નાના-મધ્યમ કદના ઉદ્યોગોના લોનધારકો માટે પ્રોપર્ટી સામે લોન પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. જેને કારણે પુનચૂકવણીની રકમ વધી છે અને આ પ્રકારની લોન માટે રીફાઇનાન્સિંગનું જોખમ પણ વધ્યું છે. ગત વર્ષે મે મહિનાથી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રેપોરેટમાં સતત 6 વારમાં 250 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે જેને કારણે રેપોરેટ 6.5%એ પહોંચ્યો છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં RBIએ રેપોરેટમાં વધારાને મુલતવી રાખ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow