SC-ST એક્ટ હેઠળ થતાં કેસમાં મામલે હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જામીન પહેલા આ કામ કરવા તાકીદ

SC-ST એક્ટ હેઠળ થતાં કેસમાં મામલે હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જામીન પહેલા આ કામ કરવા તાકીદ

કેરળ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમના કેસોમાં આગોતરા જામીન અરજીઓ પર વિચાર કરતા પહેલા અદાલતોએ જોવું જોઈએ કે શું આરોપી અને ફરિયાદીની વચ્ચે અગાઉથી દુશ્મનીનો કોઈ ઈતિહાસ રહ્યો છે કે નહીં? હાઈકોર્ટે કહ્યું કે જુઠ્ઠાણાને ફગાવી દેતા પહેલા કોર્ટે સંવેદનશીલ વલણ દાખવવું જોઈએ.

SC/ST એક્ટની જોગાવાઈઓ કડકઃ જસ્ટિસ
હાઈકોર્ટનો આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 18 અને 18A હેઠળ પ્રથમ દ્રષ્ટિએ આરોપી વ્યક્તિને આગોતરના જામીન આપવા પર પ્રતિબંધ છે. જસ્ટિસ એ.બદરુદ્દીને તેમના 9 ડિસેમ્બરના આદેશમાં કહ્યું હતું કે, આ એક્ટની જોગવાઈઓ કડક છે અને સાચા કેસોમાં તેને લાગુ કરવી જોઈએ.

ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરેઃ જસ્ટિસ બદરુદ્દીન
જસ્ટિસ બદરુદ્દીને કહ્યું કે,''SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં કડક જોગવાઈઓને કારણે આરોપીની ધરપકડ કરવાના અને કસ્ટડીમાં લેવાના ખતરાની સાથે-સાથે તેને આગોતરા જામીન આપવા મામલે પણ અદાલતોનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાની સંભાવનાઓને નકારી કાઢે અને ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરે.''

ઘણા નિર્દોષ લોકોને બનાવાયા છે શિકારઃ HC
હાઈકોર્ટે કહ્યું કે, આ ચોંકાવનારી હકીકત છે કે ઘણા નિર્દોષ લોકોને આ કાયદા હેઠળના ખોટા આરોપોનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેમની જામીન અરજી પર વિચાર કરતા પહેલા સત્ય અને અસત્યને તોલવાની જરૂર હતી.''

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow