SC-ST એક્ટ હેઠળ થતાં કેસમાં મામલે હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જામીન પહેલા આ કામ કરવા તાકીદ

SC-ST એક્ટ હેઠળ થતાં કેસમાં મામલે હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જામીન પહેલા આ કામ કરવા તાકીદ

કેરળ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમના કેસોમાં આગોતરા જામીન અરજીઓ પર વિચાર કરતા પહેલા અદાલતોએ જોવું જોઈએ કે શું આરોપી અને ફરિયાદીની વચ્ચે અગાઉથી દુશ્મનીનો કોઈ ઈતિહાસ રહ્યો છે કે નહીં? હાઈકોર્ટે કહ્યું કે જુઠ્ઠાણાને ફગાવી દેતા પહેલા કોર્ટે સંવેદનશીલ વલણ દાખવવું જોઈએ.

SC/ST એક્ટની જોગાવાઈઓ કડકઃ જસ્ટિસ
હાઈકોર્ટનો આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 18 અને 18A હેઠળ પ્રથમ દ્રષ્ટિએ આરોપી વ્યક્તિને આગોતરના જામીન આપવા પર પ્રતિબંધ છે. જસ્ટિસ એ.બદરુદ્દીને તેમના 9 ડિસેમ્બરના આદેશમાં કહ્યું હતું કે, આ એક્ટની જોગવાઈઓ કડક છે અને સાચા કેસોમાં તેને લાગુ કરવી જોઈએ.

ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરેઃ જસ્ટિસ બદરુદ્દીન
જસ્ટિસ બદરુદ્દીને કહ્યું કે,''SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં કડક જોગવાઈઓને કારણે આરોપીની ધરપકડ કરવાના અને કસ્ટડીમાં લેવાના ખતરાની સાથે-સાથે તેને આગોતરા જામીન આપવા મામલે પણ અદાલતોનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાની સંભાવનાઓને નકારી કાઢે અને ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરે.''

ઘણા નિર્દોષ લોકોને બનાવાયા છે શિકારઃ HC
હાઈકોર્ટે કહ્યું કે, આ ચોંકાવનારી હકીકત છે કે ઘણા નિર્દોષ લોકોને આ કાયદા હેઠળના ખોટા આરોપોનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેમની જામીન અરજી પર વિચાર કરતા પહેલા સત્ય અને અસત્યને તોલવાની જરૂર હતી.''

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow