ભારે વાહનના ચાલકે હોર્ન માર્યું, ગભરાઇ ગયેલા રિક્ષાચાલકે ઠોકરે લેતા સાઇકલચાલક પ્રૌઢનું મોત

ભારે વાહનના ચાલકે હોર્ન માર્યું, ગભરાઇ ગયેલા રિક્ષાચાલકે ઠોકરે લેતા સાઇકલચાલક પ્રૌઢનું મોત

શહેરની ભાગોળે જૂના માર્કેટિંગયાર્ડ નજીક રવિવારે સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં સાઇકલચાલક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. ભારે વાહનના ચાલકે હોર્ન વગાડતાં ગભરાઇ ગયેલા રિક્ષાચાલકે સાઇકલ ઉલાળી હતી અને સાઇકલચાલક પ્રૌઢનું મૃત્યુ થયું હતું. માર્કેટિંગયાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતા રમેશભાઇ નાથાભાઇ જાંબુડિયા (ઉ.વ.65) રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં સાઇકલ ચલાવીને માર્કેટિંગયાર્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી રિક્ષાએ સાઇકલને ઉલાળી હતી. અકસ્માતમાં રિક્ષાચાલકે પણ કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા ગોથું ખાઇ ગઇ હતી.

અકસ્માતમાં ઘવાયેલા રિક્ષાચાલક વેલનાથપરાના હરજીભાઇ વાલાભાઇ મેવાડા (ઉ.વ.50) અને સાઇકલચાલક રમેશભાઇ જાંબુડિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ રમેશભાઇ જાંબુડિયાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા હરજીભાઇ મેવાડા પોતાની રિક્ષા ચલાવીને જતા હતા અને માર્કેટિંગયાર્ડ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવેલા કોઇ ભારે વાહનના ચાલકે અચાનક જ હોર્ન વગાડતાં હરજીભાઇ ગભરાઇ ગયા હતા અને તેમણે આગળ જઇ રહેલા સાઇકલચાલકને ઉલાળ્યા હતા અને સાઇકલચાલક રમેશભાઇનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow