ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો

ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો

છેલ્લાં સાત દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં દોઢથી 8 ડિગ્રીનો વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ 17 ફેબ્રુઆરી બાદ પારો ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી શકે છે.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ
એટલું જ નહિ, માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.

મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રી નોંધાયું હતુું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી 10.00 વાગ્યા સુધી ઠંડક રહ્યાં બાદ બપોરે 12થી 5 દરમિયાન ગરમીમાં વધારો થયો હતો.

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો
હવામાન નિષ્ણાંત અંકિત પટેલ જણાવે છે કે, હિમાલયમાં સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. પરંતુ, આગામી 10 દિવસ સુધી શહેરમાં મોડી રાતથી વહેલી સવાર ઠંડક અને બપોર દરમિયાન ગરમી જેવી ડબલ સિઝન રહેશે.

1થી 7 ફેબ્રુઆરી કેટલુું તાપમાન વધ્યું

શહેર1 ફેબ્રુ.7 ફેબ્રુ.તફાવત
અમદાવાદ2731.84.8
સુરત2531.86.8
વડોદરા2631.85.8
ભાવનગર2930.61.6
ભૂજ2634.28.2
રાજકોટ27325

ફેબ્રુઆરીમાં કેટલું તાપમાન રહેશે​​​​​​

તારીખમહત્તમ તાપમાન
7થી1032થી 34
10થી 1533થી 36
15થી 2033થી 35
20થી 2831થી 34

માર્ચમાં ગરમી વધવાની શક્યતા -

તારીખમહત્તમ તાપમાન
1થી 733થી 36 ડિગ્રી
7થી1033થી 36 ડિગ્રી
10થી 1535થી 36 ડિગ્રી
15થી 2035થી 36 ડિગ્રી
20થી 3136થી 39 ડિગ્રી

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow