શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

યુવાનો અને તેમાં પણ રમતવીરોમાં હૃદયરોગના હુમલાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભાણેજના લગ્નમાં આવેલો ડીસાનો યુવક સાંજે રિસેપ્શનમાં જોડાઇ તે પહેલા સવારે ક્રિકેટ રમવા ગયો હતો.ક્રિકેટ રમી ચા પીવા ઊભો હતો ત્યારે અચાનક જ તે બેભાન થઇને ઢળી પડ્યો હતો અને બેભાન હાલતમાં જ તેનું મૃત્યુ થયું હતું.

બનાસકાંઠાના ડીસામાં રહેતો ભરત રવજીભાઇ બારિયા (ઉ.વ.40) રાજકોટના રેલનગરમાં રહેતા તેના ભાણેજ પ્રિતેશના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યો હતો, બુધવારે સાંજે ભાણેજનું રિસેપ્શન હતું, સવારે રેલનગરના અન્ય મિત્રો સાથે ભરત બારિયા શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો, ક્રિકેટ મેચ રમ્યા બાદ ભરત અને તેના મિત્રો મેદાનની બહાર નીકળ્યા હતા અને ચા પીવા ઊભા હતા ત્યારે અચાનક જ ભરત ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો,

તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ બહેનનો એકનો એક ભાઇ ભરત મિલમાં નોકરી કરતો હતો, ભરતના મૃત્યુની જાણ થતાં લગ્નસ્થળે લગ્નની ખુશીની જગ્યાએ શોકનું મોજું ફરી વળ્યુ હતું.

દશ દિવસ પૂર્વે એક યુવક રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, રમતી વખતે તેને ટેનિસનો બોલ લાગ્યા બાદ પણ તેણે બેટિંગ કરી હતી અને આઉટ થયા બાદ કારમાં બેઠો હતો ત્યારે તે બેભાન થઇ ગયો હતો અને બેભાન હાલતમાં તેનું મૃત્યુ થયું હતું જ્યારે એજ દિવસે મારવાડી કોલેજનો વિદ્યાર્થીનું ફૂટબોલ રમતાં રમતાં મોત થયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow