દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ઘાણા ગામનો યુવાન યોહાન પવાર પારંપરીક ખેતીની સાથે, પશુપાલનના વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બન્યો છે. વર્ષ 2011માં માંડ 2 ગાયોથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરનાર યોહાનને સરકારની આર્થીક સહાય પ્રાપ્ત થતા 12 ગાયોના માલિક બનવા સાથે મહિને 70 હજારની આવક મેળવતા થયા છે.

ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.

એક મુલાકાતમાં યોહાન પવાર જણાવે છે કે, શરૂઆતમાં તેઓની ફક્ત 2 ગાયો હતી. જે વખતે એક ટંકનુ 10 લીટર દુધ ભરતા તેઓને રૂપિયા 400ની આવક પ્રાપ્ત થતી હતી, પંરતુ સરકારી સહાય યોજના મળતા તેઓ પાસે આજે 12 ગાયો થઈ છે. ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાંથી યોહાનની પત્નીને 3 ગાયો મળી છે. જ્યારે કુટીર ઉધ્યોગમાંથી બીજી 7 ગાયો આપવામાં આવી છે.

‌તેઓ વધુમાં જણાવે છે કે, આજે એક ટકનું 48 લીટર દુધ ડેરીમાં ભરાવાથી તેઓને મહિને કુલ 70 હજાર રૂપીયાની આવક પ્રાપ્ત થાય છે. ખેતીની સાથે તેઓ આજે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા છે.

પશુઓ માટે યોહાન પવારે પાકા શેડની વ્યવસ્થા કરી છે. ગાયોના ચારાની વ્યવસ્થા માટે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા, તેઓને 50 ટકા સરકારી સહાય મળી છે. આ ઉપરાંત તેમણે મિલકિંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ સ્વખર્ચે શેડમાં પશુઓ માટે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા પણ ઉભી કરી છે.

તેઓ જણાવે છે કે, પશુપાલનના વ્યવસાયથી તેઓને બહાર ગામ મજુરી કામે જવુ પડતુ નથી. ધર આંગણે પશુ વ્યવસાયથી તેઓને આવક પ્રાપ્ત થઇ રહી છે.

ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે 50 ટકા સહાય આપવામા આવે છે. જેમા ગત વર્ષે રૂ. 34 લાખ 50 હજારના ખર્ચે 138 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. 27 જેટલા પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રો મારફત અહીં વિવિધ પશુ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow